વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી તા -૦૪ એપ્રિલ : માંડવી તાલુકાના બિદડા ગામના અમીતભાઈ સંગાર દ્વારા પંચાયત ની સામે ધરણાં પર ઉતર્યા હતા તો અમીતભાઈ સંગાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બિદડા ગામના સરપંચ દ્વારા અનેક રજૂઆતો આપવામાં આવી છતાંપણ ગામના વિકાસ નાં કાર્ય નુ નિવારણ કરવા માં આવ્યું નથી તેમજ અમીતભાઈ સંગાર દ્વારા આગાઉ પણ ધરણાં કરવામાં આવેલ તે બાદ બિદડા ગામના સરપંચ અને ગ્રામ પંચાયત નાં સદસ્ય દ્વારા એક વર્ષ અગાઉ ખાત્રી પત્ર આપેલ હોવાં છતાં પણ બિદડા ગામની જનતા પ્રશ્નો ની સમસ્યા નુ ઉકેલ લાવવા બિદડા ગ્રામ પંચાયત નિષ્ફળ રહી છે.જેથી બિદડા ગામની જનતા એનેક વખત રજૂઆતો કરી હતી કે અમારે પાણી,ગટર,રોડ લાઈટો બંધ છે,કે સફાઈ કરવા માં નથી આવતી કે અનેક પ્રકારની પ્રાથમિક સુવિધાઓ થી ગામની જનતા વિચંલીત છે તો આ તમામ મુદ્દાઓ પર સરપંચ ને લેખીત કે મોખીક પર રજુઆતો કરવામાં આવી છે છતાં પણ કોઈ નિકાલ કરવામાં આવેલ નથી સાથે જણાવ્યું હતું કે બિદડા ગામના સરપંચ મહીલા હોવાથી ગામનું તમાંમ વહીવટી કામ સરપંચ નાં પતિ સંભાળતા હોય છે તેવું અમીતભાઈ સંગાર એ જણાવ્યું હતું તો આવા મુદ્દાઓ પર અમીતભાઈ સંગાર દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગપર ધારણ પર ઉતર્યા છે.સાથે અમીતભાઈ સંગાર એ જણાવ્યું હતું કે બિદડા ગામના પાંજરાપોળ મધ્યે વિકાસ નાં કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત નુ એક કાર્યક્રમ યોજાયો હતો તે કાર્યક્રમ માં વિકાસ નાં કામોનું લોકાર્પણ પણ કરવામાં આવેલ હતું સાથે બિદડા ગામના સરપંચ ધારાસભ્ય શ્રી સાથે બેસીને બગામની જનતા નાં પ્રશ્નો સાંભળી ને ડાયરીમાં નોંધ કરી હતી.તો તે ડાયરીમાં બિદડા ગામની જનતા અનેક પ્રકારની રજુઆતો કરી હતી અને તે નોંધ બિદડા ગામના સરપંચ સાથે ધારાસભ્ય શ્રીની ઉપસ્થિત માં નોંધ થતી હતી તેવુ અમીતભાઈ સંગાર એ જણાવ્યું હતું.સાથે જણાવ્યું હતું કે બિદડા ગામની જનતા પ્રશ્નો નું ઉકેલ નહીં આવે તો અમો ધરણાં ચાલુ રાખીશું સાથે આવનારી લોકસભાની ચૂંટણી નુ પણ બહિષ્કાર કરીશું તેવું અમીતભાઈ સંગાર દ્વારા જણાવવામાં મળીયુ હતું.