GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi:મોરબીના સો-ઓરડી વિસ્તારમાં રામદેવપીરની શોભાયાત્રા નીકળી

MORBi:મોરબીના સો-ઓરડી વિસ્તારમાં રામદેવપીરની શોભાયાત્રા નીકળી

 

 

મોરબીના સોઓરડી વિસ્તારમાં આવેલા રામદેવપીર મંદિર ખાતે છેલ્લા 49 વર્ષથી દર વર્ષે રામદેવપીર મંદિરથી શોભાયાત્રા રૂપે વરઘોડો સો-ઓરડી વિસ્તારમાં પોટરી શાળા અને વિસ્તારમાં ફરી મંદિર ખાતે આવે છે. ત્યારે આજે 14 સપ્ટેમ્બર ને શનિવારે નીકળેલી આ શોભાયાત્રા દરમિયાન પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા અને વોર્ડ નંબર 4ના કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

સમરસતાના પ્રતિક રામદેવપીર મહારાજ મંદિરના સંચાલક અને સમાજના આગેવાનો, નગરજનો અને વોર્ડ નંબર 4ના કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા, પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા, ભરતભાઈ જોષી સહિતના તમામ આગેવાનો દ્વારા છેલ્લા 45 વર્ષથી અવીરત સેવાઓ આપી આ શોભાયાત્રામાં સતત હાજરી આપે છે. ત્યારે આજે કાઉન્સિલર જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયા, પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયાનું શોભાયાત્રા દરમિયાન સન્માન કરાયું હતું.

Back to top button
error: Content is protected !!