વડામાં શ્રી ઢટોસણા હનુમાનજી મહારાજના મંદિરે “શ્રી વિગ્રહ અનાવરણ હવન-યજ્ઞ” યોજાયો..
કાંકરેજ તાલુકાના વડામાં બિરાજમાન શ્રી હનુમાનજીદાદા નુ લગભગ ૪૦૦ વર્ષ પૂરાણુ મંદિર આવેલ છે.

વડામાં શ્રી ઢટોસણા હનુમાનજી મહારાજના મંદિરે “શ્રી વિગ્રહ અનાવરણ હવન-યજ્ઞ” યોજાયો..
કાંકરેજ તાલુકાના વડામાં બિરાજમાન શ્રી હનુમાનજીદાદા નુ લગભગ ૪૦૦ વર્ષ પૂરાણુ મંદિર આવેલ છે.દરવર્ષે કાળી ચૌદસના દિવસે ભાતિગળ મેળો ભરાય છે. આ પાવનધરામાં વર્ષો પહેલા સુખડીયા સમાજના કંદોઈ પરિવારના લોકો રાજસ્થાનના ભીનમાલથી ઉંટ ઉપર હનુમાનજી ની મુર્તિ થરા લઈ આવવા માટે નિક્ળ્યા હતા.ત્યારે વડા ખાતે વિસામો ખાવા રોકાયા હતા અને વિસામો ખાધા બાદ મુર્તિ લઈને થરા જવા માટેની તૈયારી કરવા હનુમાનજીની મુર્તિ ઉપાડી ઉંટ ઉપર મુકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ હનુમાનજીની મુર્તિ ત્યાથી ઉંચકી ન શકાઈ પરિણામે હનુમાનજી દાદાનું મંદિર નિજ સ્થળે બનાવી દાદાની સ્થાપના કરી નાનુ મંદિર બનાવેલ અત્યારે ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે.અને શ્રી ઢટોસણાધામ તરીકે વિખ્યાત બન્યું છે.આ પાવનધરામાં દાદાના ભક્તો અને સમસ્ત વડા ગ્રામજનોના આનંદ સાથે દાદાના મૂળરૂપના દર્શનની મંગળ વેળાએ “શ્રી વિગ્રહ અનાવરણ યજ્ઞ” આજરોજ તા.૨૫/૧૨/૨૦૨૪ ને બુધવારના રોજ સવારે દાદાના ૧૦ જેટલા સજોડે ભક્તોના યજમાન પદે આચાર્ય શાસ્ત્રી ડૉ.અનિલભાઈ જોષી,ઉપેન્દ્રભાઈ જોષી, ભરતભાઈ જોષી,પૂજારી પ્રકાશભાઈ સાધુના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાન થી મંત્રોચ્ચાર સાથે યજ્ઞ યોજાયો હતો.ત્યારે વડા ગ્રામજનો, સરકારી મોડેલ સ્કૂલ રતનપુરા તા.કાંકરેજ ની લગભગ ૧૫૧ જેટલી વિધાર્થીનીઓએ દાદાના દર્શન અને પૂજન વિધિમાં ભાગ લીધેલ.સૌ સેવકગણે આખો દિવસ દાદાનાં ગુણગાન ગાઈ ધન્યતા અનુભવેલ એમ દાદાના પરમ ઉપાસક શૈલેષભાઈ રાવળદેવે જણાવ્યું હતું.
નટવર. કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530




