MORBI:મોરબી:મહાશિવરાત્રીના પાવન પર્વે આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

MORBI:મોરબી:મહાશિવરાત્રીના પાવન પર્વે આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી ટીમ દ્વારા શિવરાત્રીના પાવન દિવસે લોકોની સુખાકારી તેમજ ઉમેદવારોના વિજયાર્થે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું
આજ રોજ જ્યારે મહાશિવરાત્રીનો પવિત્ર દિવસ હોય ત્યારે મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયાની આગેવાનીમાં જિલ્લા કાર્યાલય ઉપર મોરબી જિલ્લાના લોકોની સુખાકારી અને સ્વાસ્થ્ય સારું રહે તેમજ આવનારી સ્થાનિક સ્વરાજ્યની અને મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોનો પ્રચંડ વિજય થાય તેમજ ભ્રષ્ટાચારી તંત્ર સામે લડવાની શક્તિ મળે એ અર્થે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે મોરબીના કાર્યકર્તાઓ અને હોદેદારો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને આમ આદમી પાર્ટીના સૌ ઉમેદવારોના વિજયતિલક કરીને સફળતા મળે એવી પ્રાર્થના કરી હતી.










