આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ ના ” વિકાસ ભી વિરાસત ભી “ના ધ્યેય મંત્રને સાકાર કરવા આગામી સમયમાં તારીખ 6 થી 13 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહોત્સવ
૫ ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ભારતની સાંસ્કૃતિક વિરાસત ને સમજવા તથા આપણી મહાન ધરોહરને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા માટે સંસ્કૃત ભાષાનું જ્ઞાન આવશ્યક છે તે અનુસંધાને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ ના ” વિકાસ ભી વિરાસત ભી “ના ધ્યેય મંત્રને સાકાર કરવા આગામી સમયમાં તારીખ 6 થી 13 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહોત્સવ ઉજવવાનું છે અને સંસ્કૃત ભાષાના સંવર્ધન અને સમાજ સ્વીકૃત બને એ અનુસંધાને આજ રોજ માતુશ્રી એસ.બી.વી.ચાવડા સરસ્વતી હાઈસ્કૂલ, પાલનપુર ખાતે આચાર્યશ્રી નરેન્દ્રસિંહ દેવડા, માર્ગદર્શકશ્રી તારાબેન સોલંકી અને જનકભાઈ ચોરસિયા ના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત ભાષામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો જેમાં પ્રાર્થના, ગરબો, નાટક, મહાભારતના કર્ણનું એક પાત્રીય અભિનય, દેશભક્તિ ગીત તમામ કાર્યક્રમ સંસ્કૃત ભાષામાં જ રજૂ કરવામાં આવ્યો જેમાં બહોળી સંખ્યામાં વાલી અને વિદ્યાર્થીઓએ હાજરી આપી અને સંસ્કૃત ભાષાને ઉજાગર કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા અંતમાં આચાર્યશ્રી દ્વારા સંસ્કૃત ભાષાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ બાળકોને અભિનંદન પાઠવવામાં આવ્યા