ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજમાં યુરિયા ખાતરની મહામારી..!!! હજારો ખેડૂતો લાચાર – મેઘરજમા જ કેમ લાગે છે ખાતર માટે લાઈનો, છેલ્લા કેટલાય દિવસો થી ખાતર માટેની પરિસ્થિતિ યથાવત

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

મેઘરજમાં યુરિયા ખાતરની મહામારી..!!! હજારો ખેડૂતો લાચાર – મેઘરજમા જ કેમ લાગે છે ખાતર માટે લાઈનો, છેલ્લા કેટલાય દિવસો થી ખાતર માટેની પરિસ્થિતિ યથાવત

અરવલ્લી : જિલ્લામાં ફરી એક વખત યુરિયા ખાતરની અછત ઊભી થઈ છે. મેઘરજ ખાતે  ખાતર મેળવવા ખેડૂતોને લાંબી લાઇનોમાં કલાકો સુધી ઊભાં રહેવું પડી રહ્યું છે. મેઘરજ તાલુકા ખરીદ-વેચાણ સંઘ ખાતે છેલ્લા ચાર દિવસથી ખાતર માટે ખેડૂતોના જમાવડા વધ્યા છે, જ્યારે સ્ટોક ઝડપથી પૂર્ણ થઈ જવાથી ખેડૂતો નિરાશ થઈ પરત ફરવા મજબૂર બન્યા છે.

ખેડૂત કુટુંબો, જેમાં મહિલાઓ સહિત લોકો ભૂખ્યા તરસ્યા લાઇનમાં ઊભા રહેવાં પડી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મગફળીના પાકમાં થયેલા ભારે નુકસાન બાદ હવે ઘઉંની વાવણીની સિઝન શરૂ થઈ છે, અને સમયસર ખાતર ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.સવારે સાત વાગ્યાથી જ લગભગ અડધો કિલોમીટર લાંબી લાઈનમાં ખેડૂતોનું ટોળુ ઉમટી પડે છે. એક ખેડૂતને માત્ર બે થેલી આપવાનો નિયમ હોવાથી સ્ટોક ખૂબ જ ઝડપથી ખાલી થઈ જાય છે અને પાછળ ઊભેલા ખેડૂતોને ખાતર મળ્યા પહેલા જ સ્ટોક સમાપ્ત થઈ જાય છે.

ખેતરમાં પાણી આપ્યા બાદ સમયસર ખાતર ન મળે તો પાકને સીધો ફટકો લાગે છે. ખેડૂતો જણાવે છે કે એકથી ત્રણ વીઘા જેટલી જમીન માટે યુરિયા ખાતર આવશ્યક છે, પરંતુ અછતને કારણે વાવણીના મહત્વના સમયમાં મુશ્કેલીઓ વધતી જાય છે.લાઇનમાં ઊભેલી અનેક મહિલાઓ આંખોમાં આંસુ સાથે કહી રહી છે કે ઘર છોડીને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવુ પડે છે છતાં ખાતર ન મળે ત્યારે અત્યંત લાચાર બની જવું પડે છે.સ્થાનિક ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તંત્ર તાત્કાલિક પૂરતો સ્ટોક ઉપલબ્ધ કરે જેથી વાવણીના અગત્યના સમયમાં વધુ કોઈને પરેશાની ન પડે.

Back to top button
error: Content is protected !!