MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાવીર જયંતિ નિમિત્તે ૩૧ માર્ચે કતલખાના અને માંસ-મટનના વેચાણ પર પ્રતિબંધ

 

 

MORBI:મોરબી મહાવીર જયંતિ નિમિત્તે ૩૧ માર્ચે કતલખાના અને માંસ-મટનના વેચાણ પર પ્રતિબંધ

 

​મોરબી: આગામી તારીખ ૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ જૈન ધર્મના પવિત્ર તહેવાર મહાવીર જયંતિ ની ઉજવણી થનાર છે. આ પાવન અવસરે અહિંસાના સંદેશને સાર્થક કરવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

​પ્રતિબંધિત તારીખ: ૩૧/૦૩/૨૦૨૬ (મંગળવાર)
​વિસ્તાર: મોરબી મહાનગરપાલિકા હેઠળ આવતા તમામ વિસ્તારો. શહેરના તમામ પ્રકારના કતલખાનાઓ ફરજિયાત બંધ રાખવાના રહેશે.માંસ, મટન, મચ્છી તેમજ ચિકનનું વેચાણ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
​કાયદેસરની કાર્યવાહીની ચીમકી મહાનગરપાલિકાના સત્તાધીશોએ સ્પષ્ટ કર્યું છે કે આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવાની રહેશે. જો કોઈ પણ વેપારી કે સંસ્થા આ જાહેરનામાનો ભંગ કરતા જણાશે, તો તેમની સામે ‘ધી જી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯’ની કલમ ૩૨૯ અને ૩૩૫ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!