GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ઉધ્યોગકારો પર GSPC એ કરેલ “ધી આર્બીટ્રેશન એન્ડ કન્સીલીએશન એકટ-૧૯૯૬” ની કલમ-૮ હેઠળની અરજી સિવિલ કોર્ટે ફગાવી

MORBI:મોરબીના ઉધ્યોગકારો પર GSPC એ કરેલ “ધી આર્બીટ્રેશન એન્ડ કન્સીલીએશન એકટ-૧૯૯૬” ની કલમ-૮ હેઠળની અરજી સિવિલ કોર્ટે ફગાવી

 

 

 


મોરબી માં હળવદ રોડ, ઉંચી માંડલ ગામે આવેલ સેનીસ્ટો સીરામીક એલ.એલ.પી. ના પાર્ટનર શ્રી પુનિતભાઈ વાલજીભાઈ વાછાણી મોરબી ની સિવિલ કોર્ટ માં (૧) ગુજરાત ગેસ લીમીટેડ-મોરબી ઝોનલ ઓફીસ (૨) ગુજરાત ગેસ લીમીટેડ-રજીસ્ટર્ડ ઓફીસ (૩) ગુજરાત ગેસ લીમીટેડ- કોર્પોરેટ ઓફીસ તથા (૪) નાયબ ઈજનેર -જેટકો ચાર સામે રૂા.૨૪,૦૦,૦૦૦/- ની નુકશાની મેળવવા દાવો દાખલ કરેલ જે દાવાની હકીકત એવી છે કે આ ચારેય પ્રતિવાદીઓએ વાદી સેનીસ્ટો સીરામીક એલ.એલ.પી. ની ફેકટરી ના પ્રીમાઈસીઝ પાસે પ્રતિવાદી ના મેઇન્ટેનન્સ વિભાગ દ્રારા રીપેરીંગ કામ દરમ્યાન બેદરકારી રાખતા તેમની બેદરકારી ના કારણે વાદી સેનીસ્ટો સીરામીક એલ.એલ.પી. ને ગેસનુ પ્રેસર ઘટી જતા ભઠ્ઠી માં તાપમાન ઘટી જતા માલ ને મોટુ નુકશાન થતા નુકશાન વળતર મેળવવા રે.દિવાની કેશ નં.૧૮૯/૨૧ થી દાવો દાખલ કરેલ સદરહું દાવામાં પ્રતિવાદી તરફથી એવી અરજી કરવામાં આવેલ કે આ દાવો કોર્ટમાં ચલાવી ન શકાય અને આ દાવો “ધી આર્બીટ્રેશન એન્ડ કન્સીલીએશન એકટ-૧૯૯૬” ની કલમ-૮ અન્વયે આ દાવો લવાદી કોર્ટ માં ટ્રાન્સફર કરવા અરજી કરેલ જેમાં વાદી તરફથી સખત વાંધાઓ રજુ થતા અને દલીલો રજુ થતા નામદાર કોર્ટ ના એડીશ્નલ સિવિલ જજ સાહેબશ્રી સી.વાય.જાડેજા સાહેબે પ્રતિવાદી ની લવાદી કોર્ટ માં દાવો ટ્રાન્સફર કરવાની અરજી “રદ” કરેલ અને નામદાર કોર્ટે વધુ માં એવુ જણાવેલ છે કે વાદીએ આ દાવો ફકત ગુજરાત ગેસ લીમીટેડ સામે જ કરેલો નથી પરંતુ વાદી એ આ દાવામાં ગુજરાત ગેસ લીમીટેડ સાથે GETCO ને પણ પ્રતિવાદી પક્ષે જોડેલ છે અને પ્રતિવાદી ગુજરાત ગેસે પોતે જ તેના નોટીશ જવાબ માં વાદીને થયેલ નુકશાની અંગે GETCO જવાબદાર છે તેવું દર્શાવેલ હોઈ તેથી જ વાદી એ બન્ને કાં સામે દાવો કરેલ તેથી આર્બીટ્રેશન એકટ ની કલમ-૮ ની જોગવાઈ મુજબ ફકત જે કાં સાથે કરાર થયો હોઈ તે એક જ કાં ની સામે દાવો દાખલ કરેલ હોય તો જ આ એકટની કલમ-૮ લાગુ પડે જયારે આ દાવા માં બીજી કાં GETCO પણ પક્ષકાર તરીકે હોઈ GSPC ની તરફથી કરવામાં આવેલ “ધી આર્બીટ્રેશન એન્ડ કન્સીલીએશન એકટ-૧૯૯૬” ની કલમ-૮ મુજબ આ દાવો લવાદ કોર્ટ માં ટ્રાન્ફર કરવા કરેલ અરજી નામદાર કોર્ટે રદ કરેલ છે.

આ દાવા ના કામે વાદી પક્ષે કોટક લો ચેમ્બર માં પ્રેકટીશ કરતા વિદ્વવાન વકીલ હાર્દિક ડી.ગોસ્વામી તથા હિરેન ડી.ગોસ્વામી રોકાયેલ હતા અને નામદાર એડીશ્નલ સિવિલ જજ સી.વાય.જાડેજા આ હુકમ કરેલ છે.

Back to top button
error: Content is protected !!