
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
શ્રી સ્વામી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય કુંડોલ કાગડા મહુડા ખાતે વિદ્યાર્થીઓ ને ચોપડાનું વિતરણ કરાયું
તત્સત્ ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ તરફથી શાળાના ધોરણ 9 અને 10 ના તમામ વિદ્યાર્થીઓને તેમજ એક થી આઠ ની વાલ્મિકી આશ્રમશાળા ના બાળકોને નોટબુક તેમજ ચોપડાનું વિદ્યાદાન કરવામાં આવ્યું આ તબક્કે ટ્રસ્ટના પીન્ટુભાઇ પટેલ, સંજયભાઈ પટેલ( વકીલ ) તેમજ ચિરાગભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય કમલેશભાઈ પટેલ તેમજ શાળા સ્ટાફ મિત્રો દ્વારા પીન્ટુભાઇ પટેલ, સંજયભાઈ પટેલ તેમજ ચિરાગભાઈ પટેલ નું શાબ્દિક તેમજ સુતરની ઓંટીથી સન્માન કરવામાં આવ્યું હતું ટ્રસ્ટી તેમજ મારા પરમ મિત્ર એવા પિન્ટુભાઈ શાળાના વિદ્યાર્થીઓને પ્રેરણાદાયિક વક્તવ્ય તેમજ આશીર્વાદ પાઠવ્યા હતા. શાળાના આચાર્ય કમલેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને વિદ્યાદાન કરવા બદલ સંસ્થા અને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.*




