MORBI:મોરબીના મહેન્દ્રનગરમાં યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

MORBI મોરબીના મહેન્દ્રનગરમાં યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે, જેમાં ૨૮ વર્ષીય યુવાને પોતાના જ ફ્લેટમાં ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી છે. આ બનાવને પગલે પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ, મહેન્દ્રનગર હળવદ રોડ પર આવેલા રામેશ્વર પાર્ક પાસેના સમૃદ્ધિ પેલેસ (બ્લોક નં. ૭૦૧) માં રહેતા જયદીપભાઈ ચંદુલાલ સંધાણી (ઉં.વ. ૨૮) એ ગઈકાલ તારીખ ૧૩/૦૨/૨૦૨૬ના રોજ પોતાના ફ્લેટમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. યુવાનના આ આકસ્મિક પગલાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.આ બનાવની જાણ થતા જ મોરબી સીટી બી ડીવીઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે દિનેશભાઈ ધરમશીભાઈ માકાસણા (રહે. રવાપર રોડ) પાસેથી જરૂરી વિગતો મેળવી પ્રાથમિક તપાસ હાથ ધરી છે.યુવાને કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજુ જાણી શકાયું નથી.હાલ પોલીસે અકસ્માતે મોત (અ.મોત) નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ કરી આગળની તપાસ શરૂ કરી છે.









