
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ નડિયાદથી માલ સામાનનો જથ્થો ભરી નાસિક તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો.ન.જી.જે.23.એ.ટી.7479 જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં ચઢાણ વેળાએ અચાનક મોસમ તૂટી જતા રિવર્સમાં આવીને પલ્ટી મારી જતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં આઈસર ટેમ્પાને જંગી નુકશાન થયુ હતુ. જ્યારે ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે..





