MORBI:રાજકોટ – દેહરાદૂન ફ્લાઇટ ચાલુ કરવા મોરબી નાં રાજકીય અગ્રણી ની રજૂઆત

MORBI:રાજકોટ – દેહરાદૂન ફ્લાઇટ ચાલુ કરવા મોરબી નાં રાજકીય અગ્રણી ની રજૂઆત
મોરબી લોહાણા સમાજ ના યુવા અગ્રણી તેમજ જિલ્લા બિલ્ડર એસોસિયેશન નાં ઉપપ્રમુખ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના યુવા મોરચા ના કારોબારી સભ્ય રૂચિરભાઈ કારીયા દ્વારા તા.૪-૭-૨૦૨૪ નાં રોજ ઇમેઇલ તેમજ ફોન દ્વારા સૌરાષ્ટ્ર નાં તમામ સાંસદો અને ઉડ્યન મંત્રી શ્રી કિંજરપુ રામમોહન નાયડુ ને રજૂઆત કરવામાં આવી હતી કે સૌરાષ્ટ્ર ભર માંથી ઘણા હિન્દુ લોકો ધર્મયાત્રા માટે હરિદ્વાર તેમજ ચારધામ યાત્રા અર્થે જતા હોય છે ત્યારે હરીદ્વાર નુ નજીક નું દેહરાદૂન એરપોર્ટ આવેલ હોય ત્યાં માટે જવા માટે અમદાવાદ ફરજિયાત જવું પડતું હોય યાત્રાળુ ઓ ને મુશ્કેલી પડતી હોય જો રાજકોટ થી દેહરાદૂન ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થાય તો ઘણા હિન્દુ યાત્રાળુ ઓ ને યાત્રા નો સમય ઘટી જાય આ રજૂઆત ને ધ્યાને લઈ ભારત સરકાર નાં પૂર્વ મંત્રી શ્રી અને હાલ રાજકોટ નાં સાંસદ શ્રી પરસોતમભાઈ રૂપાલા સાહેબે ઉડ્યન મંત્રી પાસે રાજકોટ – દેહરાદૂન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ ની માંગણી કરવામાં આવી છે.







