BANASKANTHAKANKREJ

ઈસરવાથી ધાર્મિક સ્થળ ઓગડ રોડ કાદવ કીચડના લીધે દર્શનાર્થીઓ પરેશાન.

ઓગડ થાળી હિંદુઓનું પવિત્ર યાત્રાધામ છે કાંકરેજ તાલુકાના ઈસરવાથી ઓગડ જતા રોડ વચ્ચે મસ મોટા ખાડા પડી ગયા છે.ખાડા પડી ગયા હોવાથી શ્રી ઓગડ મહારાજની ગાદીએ દર્શન કરવા જતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.કાંકરેજ તાલુકાના દેવદરબાર ખાતે આવેલ દેવદરબાર જાગીરદાર સમાજની ધર્મગુરૂ ગાદી શ્રી દેવદરબાર જાગીરમઠના પરમ પૂજ્ય ૧૦૦૮ મહંતશ્રી બળદેવનાથજીબાપુ ગુરૂશ્રી વસંતનાથજીબાપુ અષાઢી બીજના શુભ દિવસથી શ્રીઓગડ થળી ખાતે ગાય માતાના દૂધ સિવાય બીજી કોઈ વસ્તુનું સેવન કર્યા વગર મૌન વ્રત ધારણ કરી અનુષ્ઠાન કરી રહ્યા છે.અષાઢી બીજથી શ્રાવણવદ અમાવાસ્યા (દીવાસા) સુધી એટલે કે બે મહિના આ રીતે મૌન ધારણ કરી અનુષ્ઠાન કરશે ત્યારે ત્યાં ભાવિક ભક્તોની અવર -જવર વધી રહી છે આ રોડ ખુબ ખરાબ હોવાના કારણે દર્શનાર્થીઓ શ્રી ઓગડ થળી જઈ શકતા નથી ત્યારે આ રોડ તાત્કાલિક નવો બને અથવા ઝડપી રીપેર થાય અને અવર જવર થઈ શકે તેવો રોડ કરવા ધાર્મિક લોકોની માંગ ઉઠી છે.તેમ દિનેશભાઈ વેલાભાઈ પટેલ ઈસારવાવાળાએ જણાવ્યું હતું.
નટવર. કે. પ્રજાપતિ,થરા

Back to top button
error: Content is protected !!