SABARKANTHA

અમદાવાદનાં ગ્રામ્યના વિરમગામમાં પાનોલી ના માધવપ્રિય સ્વામી સહિતના ચાર લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ

અમદાવાદનાં ગ્રામ્યના વિરમગામમાં પાનોલી ના માધવપ્રિય સ્વામી સહિતના ચાર લોકો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે લાખો કરોડોની છેતરપિંડી નો તપાસ ઈડર સુધી પહોંચે તેમ છે ઈડરના નબીરા પણ આ સ્કેન્ડલમાં જોડાયેલા હોવાની લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.આ તમામ લોકોએ ભેગા મળીને જમીન અને કન્સ્ટ્રક્શનનું કામ કરતા યુવકનો સંપર્ક કર્યો હતો. બાદમાં માધવપ્રિય સ્વામી અને તેમના મળતિયાઓએ શંખેશ્વર પાસે સ્વામિનારાયણ સંપ્રદાયની ગૌશાળા બનાવવા માટેની જમીનનો સોદો કર્યો હતો. આ યુવકને 5 કરોડ કમિશન આપવાની લાલચ આપીને 315 વીઘા નું નોટરી પાસે એમઓયુ કર્યું હતું બાદમાં ટોકન પેટે 1કરોડ મેળવીને માધવપ્રિય સ્વામીએ ટોકન સ્વરૂપે 20.51 લાખ આપ્યા હતા. પરંતુ રૂ.74.50 લાખ પરત ન આપતા યુવકે ફરિયાદ નોંધાવતા વિરમગામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૂળ અમરેલીના નયનભાઈ યાદવ ગોતામાં રહે છે અને કન્સ્ટ્રકશન તેમજ જમીન લે-વેચ નું કામ કરે છે ગત વર્ષ 2021 માં તે સિંધુભવન રોડ પર એક કાફે માં ગયા હતા ત્યારે ઉદય મિયાત્રા નામનો શખ્સ મળ્યો હતો. ઉદયે માધવપ્રિય સ્વામી નામના સાધુ માટે કામ કરતો હોવાને ઓળખ આપી હતી. બાદમાં શંખેશ્વર આસપાસ ગૌશાળા બનાવવા માટે જમીન ખરીદવાની વાત કરી હતી. જ્યારે મેઘરાજસિંહ ગોહિલ સ્વામીના ખાસ માણસ હોવાનું કહીને ઓગણજ સર્કલ પાસેના ફાર્મ હાઉસ પર મિટિંગ કરી હતી જ્યાં ઉદય અને મેઘરાજસિંહ ગોહિલ સ્વામીને શંખેશ્વરની બાજુમાં આવેલી જમીન પસંદ આવી હોવાનું કહીને નયનભાઈ ને તેમના નામનો એમઓયુ કરવાનું કહીને 5કરોડ ટોકન અપાવવાની વાત કરી હતી.બાદમાં નયનભાઈ જમીન જોવા ગયા હતા. જ્યાં 315 વીઘા જમીન બાબતે સ્વામીએ 88.19 કરોડમાં જમીન ખરીદવાની વાત કરી હતી. ત્યારબાદ નયનભાઈ ને નરેન્દ્ર નામનો વ્યક્તિ મળ્યો હતો જેણે આ જમીન રૂ. 62.99 કરોડમાં વેચાણની વાત કરી હતી. નયનભાઈએ સ્વામીના જણાવ્યા મુજબ એમઓયુ કરીને લાખો રૂપિયા રોકાણના હેતુથી આપ્યા હતા બાદમા સ્વામી એ ફુલહાર કરીને સોદા ના રૂ. 20.51લાખ રોકડા આપ્યા હતા. બીજી રકમ વિદેશથી દાનનો ફાળો આવે થી મળી જશે તેમ સ્વામીએ કહ્યું હતું જ્યારે ઉદય નામના શકશે એમઓયુ ખોટો પાડવાનો પ્રયાસ કરીને ઠગાઈનો ખેલ શરૂ કર્યો હતો જેથી નયનભાઈએ તપાસ કરતા આ એમઓયુ અંગે જમીનના માલિક એવા ખેડૂતોને જાણ ન હોવાનું સામે આવ્યું હતું. તપાસ કરતા સ્વામી સહિતની ગેંગ સામે અને ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું હતું. જેથી નયનભાઈએ આ મામલે પોલીસને જાણ કરતા વિરમગામ ટાઉન પોલીસે આરોપી માધવ પ્રિય સ્વામી (રહે.પાનોલી, ભરૂચ), સંધવ બચુભાઇ (રહે. શંખેશ્વર), ઉદય મિયાત્રા (રહે. સાવલી) અને મેઘરાજસિંહ ગોહિલ (રહે.સાણંદ) ની સામે 74.50 લાખની ઠગાઈની ફરિયાદ નોંધ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!