GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલની ગોવર્ધનનાથજી હવેલીના ગાદીપતિ પૂ અભિષેકકુમારને ગોવા ખાતે એવોર્ડ એનાયત થતા વૈષ્ણવ સૃષ્ટી મા આનંદની લાગણી

 

તારીખ ૦૯/૦૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલની ગોવર્ધનનાથજી હવેલીના ગાદીપતિ તેમજ રાજકોટ ની વલ્લભાશ્રય હવેલી ના પૂ.પા ગૌ ૧૦૮ શ્રી અભિષેકકુમાર મહારાજશ્રી ને દૈનિકભાસ્કર ગૃપ અંતર્ગત દિવ્યભાસ્કર દ્વારા આયોજીત “ કોહિનૂર ઓફ સૌરાષ્ટ્ર “એવોર્ડ ૨૦૨૫ કોંકણ ( ગોવા ) ખાતે ભવ્યતાથી ઉજવવામા આવ્યો હતો, જેમાં જનકલ્યાણ એવં જનજાગૃતી પ્રચાર અર્થે ગોસ્વામી શ્રીઅભિષેકલાલજી મહારાજ્શ્રી (કાલોલ, રાજકોટ, મથુરા) અને શ્રીવલ્લભાશ્રય હવેલી રાજકોટ ને દિવ્યભાસ્કર ગુજરાત ના CEO તેમજ ગોવા ના પુર્વ CM કામત દ્વારા એવોર્ડ આપવા મા આવ્યો હતો આ કાર્યક્રમ માં નેશનલ એવોર્ડ વિનર બોલીવુડ એકટ્રેસ અમૃતા રાવ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાલોલ ના વૈષ્ણવાચાર્ય ને એવોર્ડ મળતા કાલોલની સમસ્ત વૈષ્ણવ સૃષ્ટી મા આનંદની લાગણી વ્યાપી છે.

 

Back to top button
error: Content is protected !!