MORBI:મોરબીમાં વ્યાજખોરોનો આતંક: માંદગી માટે લીધેલા નાણાં પર 40% વ્યાજ વસૂલ્યું, છતાં યુવકને ઢોર માર માર્યો

MORBI:મોરબીમાં વ્યાજખોરોનો આતંક: માંદગી માટે લીધેલા નાણાં પર 40% વ્યાજ વસૂલ્યું, છતાં યુવકને ઢોર માર માર્યો
મોરબી: મોરબી શહેરમાં વ્યાજખોરીનો વધુ એક કંપારી છૂટી જાય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પિતાની બીમારી માટે લીધેલા નાણાંના બદલામાં મૂડી કરતા વધુ વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં, બે શખ્સોએ યુવકને બરણી અને ઢીકાપાટુ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.
મોરબીના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા ૨૬ વર્ષીય મુકેશભાઈ જયંતીભાઈ ચૌહાણ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, તેમણે પિતાની સારવાર માટે નાણાંની જરૂર હોવાથી આરોપીઓ પાસેથી ઊંચા વ્યાજે રકમ લીધી હતી.
મુકેશભાઈ: કાનાભાઈ ભરતભાઈ ગઢવી પાસેથી ૪૦% ના માસિક વ્યાજે રૂ. ૯૦,૦૦૦ લીધા હતા.મુકેશભાઈના પિતા: કાનાભાઈ પાસેથી ૨૦% વ્યાજે રૂ. ૨,૦૦,૦૦૦ લીધા હતા.મુકેશભાઈના ભાઈ (રાહુલભાઈ): જીગ્નેશભાઈ ભરતભાઈ ગઢવી પાસેથી ૨૦% વ્યાજે રૂ. ૨,૪૦,૦૦૦ લીધા હતા.વ્યાજખોરોનો અત્યાચાર ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પરિવાર દ્વારા અત્યાર સુધીમાં લીધેલી મૂડી કરતા પણ વધુ રકમ વ્યાજ પેટે ચૂકવી દેવામાં આવી છે. આમ છતાં, આરોપીઓ સંતોષાયા નહોતા અને વધુ નાણાં માટે દબાણ કરી રહ્યા હતા. ઉઘરાણીના બહાને આરોપીઓએ મુકેશભાઈને શરીરના ભાગે બરણી વડે તેમજ ઢીકાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી હતી અને જો રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.પોલીસ કાર્યવાહી આ મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી નીચે મુજબની કલમો હેઠળ તપાસ હાથ ધરી છે:BNS કલમ: 115(2), 308(2), 54 ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ (2011): કલમ 40 અને 42 પોલીસે આરોપી કાનાભાઈ ભરતભાઈ ગઢવી અને જીગ્નેશભાઈ ભરતભાઈ ગઢવી (રહે. મહેન્દ્રનગર, તક્ષશિલા સ્કૂલ પાસે) વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.









