GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીના માળા તથા પાણીના પરબિયા( માટીના કુંડા) નુ વિતરણ કરાશે

MORBI:ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીના માળા તથા પાણીના પરબિયા( માટીના કુંડા) નુ વિતરણ કરાશે
સતત સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા ચિત્રા હનુમાનજી ધુન મંડળ મોરબી દ્વારા જીવદયાપ્રેમીઓ માટે આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓ ને ઠંડક મળે અને તેમની તૃષા સંતોષાય તેવા ઉમદા કાર્ય માટે શનાળા રોડ
પર આવેલા સ્કાય મોલ સામે શ્રી ચિત્રા હનુમાનજી મંદિરે ગુરૂવાર તા ૨૦/૩/૨૫ ના વિશ્વ ચકલી દિવસના
રોજ ચિત્રા હનુમાનજી ધુન મંડળ ના સેવાકીય સભ્યો દ્વારા સવારે ૮/૩૦ થી ૧૧/૩૦ વાગ્યા સુધી વહેલા તે પહેલાના ધોરણે આ માટીનાપરબિયા અને માળાનુ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે તેમ ધૂન
મંડળ ના પ્રમુખ શ્રી ટી સી ફુલતરિયા સાહેબની યાદી માં જણાવવામાં આવે છે









