MORBI:મોરબીના ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વય વંદના આયુષ્યમાન કાર્ડ નો કેમ્પ યોજાયો!

MORBI:મોરબીના ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વય વંદના આયુષ્યમાન કાર્ડ નો કેમ્પ યોજાયો!
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર કાર્યક્ષેત્ર નાં ગાળા વાઘપર અને ભરતનગર ગામ ખાતે વય વંદના આયુષ્યમાન કાર્ડ નો કેમ્પ કરવાંમાં આવ્યો હતો.આયુષ્માન ભારત યોજના હેઠળ સરકારે ૭૦ વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને પણ સામેલ કર્યા છે. જે હેઠળ લાભાર્થીઓ પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં મેળવી શકે છે. આ યોજના માટે લાયક લોકોએ આયુષ્માન વય વંદના કાર્ડ બનાવવું પડે જેને લઈ આજરોજ મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગરના ગાળા વાઘપર અને ભરતનગર ગામ ખાતે પ્રધાનમંત્રી આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પ ચેરમેન શ્રી અજયભાઇ લોરીયા ઉત્પાદન સહકાર અને સિંચાઇ સમિતિ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.
જેમાં બહોળી સંખ્યામાં બાકી લાભાર્થી તમામ ના આરોગ્ય કર્મચારી દ્વારા કેમ્પ કરી દરેક ને આયુષમાન કાર્ડ કાઢી આપેલ અને ઉપયોગ વિષે સમજણ આપવામાં આવી હતી.
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી








