GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI- મિશન નવ ભારત મોરબી જિલ્લા ટીમ દ્વારા ડૉ .બાબાસાહેબ આંબેડકરજી ની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી
MORBI- મિશન નવ ભારત મોરબી જિલ્લા ટીમ દ્વારા ડૉ .બાબાસાહેબ આંબેડકરજી ની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી
મિશન નવ ભારત મોરબી જિલ્લા ટીમ દ્વારા ડૉ .બાબાસાહેબ આંબેડકરજી ની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી, અને ડૉ. બાબાસાહેબે પોતાનું સમગ્ર જીવન વંચિત વર્ગોના કલ્યાણ માટે ખપાવ્યું. શિક્ષણ, સમાનતા અને ન્યાયના ઉચ્ચ સિદ્ધાંતો પર તેમણે સામાજિક નવચેતનાનો સંચાર કર્યો. દુનિયાની સૌથી મોટી લોકશાહીના દૂરંદેશી બંધારણની રચનાથી તેમણે દેશના વિકાસનો પાયો નાંખ્યો. સમરસ સમાજના નિર્માણ માટે તેમણે આપેલ યોગદાન દેશવાસીઓ માટે પ્રેરણાનો અખૂટ સ્રોત બની રહેશે. ભારતના બંધારણના ઘડવૈયા, સામાજિક સમરસતાના મહાનાયક, ‘ભારત રત્ન’ ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતીએ કોટિ કોટિ વંદન…