GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ABVP મોરબી દ્વારા નવનિર્માણ આંદોલનને ૫૦ વર્ષ પૂર્ણ થયાનું પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું.

MORBI:ABVP મોરબી દ્વારા નવનિર્માણ આંદોલનને ૫૦ વર્ષ પૂર્ણ થયાનું પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું.

 

 

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા L.E કૉલેજમાંથી શરૂ થયેલ નવનિર્માણ આંદોલનને ૫૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. નવનિર્માણ આંદોલન એ એવું આંદોલન છે કે જેને દેશની સતા પલટાવી નાખી હતી. તત્કાલીન સરકાર અને તત્કાલિન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે આ આંદોલનના કારણે રાજીનામું આપી દીધું હતું. જેને લઇને અગામી 20 ડિસેમ્બરે L.E કૉલેજ ખાતે *” છાત્ર ગર્જના “* નો કાર્યક્રમ થશે અને ત્યાર બાદ ” છાત્ર શક્તિ ” યાત્રાના રથનું શુભારંભ થશે જે મોરબીના તમામ કૉલેજ કેમ્પસ તથા સૌરાષ્ટ્ર કચ્છ ના કૉલેજ કેમ્પસમાં રથ જશે. આ કાર્યક્રમમા ABVP ના રાષ્ટ્રીય પદાધિકારી ઉપસ્થિત રહેશે. જેનું પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું. મોરબી સિરામિક વિટ્રીફાઈડ એસોસિયેશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાના હસ્તે પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું.

” છાત્ર ગર્જના “તારીખ :- 20/12/2024
સમય :- સવારે ૦૯:૦૦ વાગ્યે સ્થળ :- જૂની L.E કૉલેજ, મોરબી – 2.

Back to top button
error: Content is protected !!