GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મજયંતીની ધામધૂમ કરાશે ઉજવણી!

MORBI:મોરબીમાં દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મજયંતીની ધામધૂમ કરાશે ઉજવણી!

 

 

રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી

મોરબીમાં દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મજયંતી નિમિતે દર વર્ષે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ શ્રી મોરબી દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા ઇષ્ટદેવ શ્રી દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મ જયંતી ૪૪ મો સમારોહ આગામી તારીખ ૩૦ માર્ચને રવિવારે યોજાશે.

Oplus_131072

મોરબીમાં નહેરુગેટ પાસે આવેલ શ્રી દરિયાલાલ મંદિર ખાતે દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મજયંતી નિમિતે ૪૪ મો મહોત્સવ ધામધુમથી ઉજવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તારીખ ૩૦ માર્ચ નાં રોજ સવારે ૬ થી ૭ આરતી, ત્યાર બાદ પ્રભુનું પૂજન, રામાયણ પ્રવચન, વરુણ યજ્ઞ રાખવામા આવેલ છે અને આ વર્ષે વરુણ યજ્ઞના યજમાન પદે પ્રકાશભાઈ બચુભાઈ પુજારા અને દક્ષાબેન પ્રકાશભાઈ પુજારા પરિવાર સાતક બેસશે. અને તે દિવસે સાંજે ૬ થી ૮ બહેનો માટે અને ૮ થી ૧૦ ભાઈઓ માટે પ્રસાદ નું દશાશ્રી માળી વણિક જ્ઞાતિ ભોજન શાળા સાવસર પ્લોટ મેઈન રોડ, જુના બસ સ્ટેન્ડ પાસે મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેથી ધાર્મિક કાર્યક્રમ અને પ્રસાદનો લાભ લેવા માટે એડવોકેટ નીકુજ કોટક સહિત આયોજકોએ જણાવ્યુ છે.

Back to top button
error: Content is protected !!