સૌની યોજના અંતર્ગત તળાવ ભરવાની માંગણી નો પત્ર ફેસબુક પર મુકાતા ધારાસભ્ય શામજી ચૌહાણ થયા ટ્રોલ
તા.09/10/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
દુધઈના તળાવનો પત્ર લખેલ પહેલા પંદર દિવસથી ભરેલા હોય અને હાલ પાણી પણ ચાલુ હોય
મુળી તાલુકાનાં રામપરડા વાલ્વથી પાણી સૌની યોજના હેઠળ દુધઈ ખંપાળીયા ગઢડા ગામોને મળે છે ત્યારે તે ઓલ રેડી ભરેલા હોય તેને આજે પંદર દીવસ થયા અને હાલ ટીકર તળાવમાં પાણી વહે છે તે પણ છેલ્લા પંદર દિવસથી અને ખંપાળીયા ગઢડા માટે છેલ્લા પાંચ દિવસથી વાલ્વ ખોલવામાં આવેલ હોય ત્યારે ચોટીલા ધારાસભ્ય શામજી ચૌહાણને જાણે ઉંઘ ઉડી હોય તેમ પત્ર લખી જાતે જ ફેસબુક પર પોસ્ટ મુકતા અને જસ ખાટવા માટે વાહવાહી માટે રજુઆત કરી છે તેમ મુકવામાં આવતા હાસ્યાસ્પદ બન્યા હતા અને ટ્રોલ થયા હતા અને કોમેન્ટમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે આ તમામ તળાવો છેલ્લા પંદર દિવસથી ભરેલા છે અને આગળ ગામોમાં પાણી જઈ રહ્યા છે ત્યારે આ બાબતે ધારાસભ્ય શામજી ચૌહાણ અજાણ હોય તે સાબિત થયું છે અને પોતાએ માંગણી કરેલ અને પાણી મળેલ હોય તેમ ખેડૂતોને ખબર ન હોય તેવું જાણતા હશે પરંતુ ખરેખર ખેડૂતો દ્વારા જ આ વાલ્વ ખોલવામાં આવેલ હતો અને તેઓ ના પત્ર પહેલા દશ દિવસ થી ત્યારે ખેડૂતોએ ફેસબુક કોમેન્ટ કરી હવે ધારાસભ્ય શામજી ચૌહાણ વાલ્વ બંધ ન કરાવતાની વિનંતી કરાતા આખી પોસ્ટ રમુજી બની ગઈ હતી.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!