MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી નગર પાલિકા દ્વારા મચ્છુ જળ હોનારત દિન નિમિત્તે મૌન રેલીનું આયોજન

MORBI:મોરબી નગર પાલિકા દ્વારા મચ્છુ જળ હોનારત દિન નિમિત્તે મૌન રેલીનું આયોજન

 

 

મોરબીમાં ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ના રોજ મચ્છુ ડેમ તૂટ્યો હતો, જે જળ હોનારતમાં મોરબીવાસીઓએ હજારોની સંખ્યામાં પોતાના સ્વજનો ગુમાવ્યા હતા, ત્યારે આ ગોઝારી દુર્ઘટનાને ૪૫ વર્ષ થયા પરંતુ હજુ લોકો આ જળ હોનારાતને ભૂલી શક્યા નથી ત્યારે દર વર્ષની જેમ વર્તમાન વર્ષે પણ મોરબી નગરપાલિકા દ્વારા મચ્છુ જળ હોનારત દિવસ નિમિતે એટલે કે આગામી ૧૧/૦૮ના રોજ નગરપાલિકાથી મણિમંદિર સ્મૃતિ-સ્તંભ સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

Oplus_131072

મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા એક પ્રેસયાદી જાહેર કરી મોરબી શહેરની જાહેર જનતાને જણાવવાયું કે આગામી ૧૧ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ “મચ્છુ જળ હોનારત દિન” હોય તે નિમિતે મોરબી નગરપાલિકા દ્વારા બપોરે ૦૩:૧૫ કલાકે નગરપાલિકા કચેરીથી મૌનરેલી નીકળી મૃતાત્માઓના સ્મૃતિ-સ્તંભ મણીમંદિર ખાતે બપોરે ૦૩:૩૦ કલાકે પહોચશે અને ત્યા દિવંગતોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે કાર્યક્રમ યોજેલ છે. જેમાં નગરપાલિકા દ્વારા તથા મહાનુભાવો દ્વારા પુષ્પાંજલી અર્પણ કરી બે મીનીટનું મૌન પાળવામાં આવશે. તો મોરબીની જાહેર જનતાને આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે અપીલ કરાઈ છે.

Back to top button
error: Content is protected !!