
તા.૧૩.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના ખરોદા મોટી બારમ ફળીયાની રહેવાસી શીતલબેન પ્રતાપભાઈ નીનામા ગુમ થઈ
ગુમ થનારની ભાળ મળ્યે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો
દાહોદના ખરોદા મોટી બારમ ફળીયા ખાતે રહેતા સંજયભાઈ પ્રતાપભાઈ નીનામાની ૨૫ વર્ષીય બહેન નામે શીતલબેન પ્રતાપભાઈ નીનામા તારીખ ૦૬-૦૧-૨૦૨૫ ના રોજ ખરેડી વટલી હાટ બજારમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ પરત આવી નથી.
ગુમ થનારનું વર્ણન:ઉમર : આશરે ૨૫ વર્ષ ધંધો : ઘરકામ રહેઠાણ : ખરોદા મોટી બારમ ફળિયા, દાહોદ ઉંચાઈ : ૪ ફુટ ૫ ઈંચ ગુજરાતી, હિન્દી ભાષા વાંચી, બોલી તથા લખી શકે છે.પહેરવેશ : શરીરે ભુરા કાળા કલરનો અને તેમા કાળા કલરના ફુલોની ડીઝાઇન વાળો પંજાબી ડ્રેસ પહેરેલ તથા સફેદ કલરનો લેંઘો પહેરેલ છે. ઓઢણી પીળા કલરની ઓઢેલ હતી.ગુમ થનારની ભાળ મળ્યે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના ટેલીફોન નં. ૦૨૬૭૩-૨૪૪૯૦૦, મો.નં.૬૩૫૯૬૨૭૦૭૯ તથા ત.ક.અ.મો.નં. ૮૮૪૯૭૮૩૬૬૧ પર જાણ કરવા પોલીસ ઇન્સ્પેકટર દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા જણાવાયું છે




