GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારોને કાયમી આવાસ આપવા મુખ્યમંત્રીને રજૂઆત

 

 

MORBI:મોરબી ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારોને કાયમી આવાસ આપવા મુખ્યમંત્રીને રજૂઆત

 

​મોરબી: મોરબી શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વર્ષોથી ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને તે જ જગ્યા પર ઘર રેગ્યુલરાઈઝ (નિયમિત) કરી આપવા માટે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

​ મોરબીમાં મચ્છુ નદીના કિનારે, વેજીટેબલ રોડ, ભીમસર, સાવજની પાળ, પંચાસર રોડ અને લીલાપર રોડ જેવા વિસ્તારોમાં સેંકડો પરિવારો છેલ્લા ૨૫-૩૦ વર્ષથી વસવાટ કરી રહ્યા છે. ગ્રાહક સુરક્ષા મંડળે રજૂઆત કરી છે કે આ પરિવારો જ્યાં રહે છે, તે જગ્યા જો સરકારના ઉપયોગમાં ન હોય તો તેને રેગ્યુલરાઈઝ કરી રહેવાસીઓને ‘સનદ’ (માલિકી હક) આપવી જોઈએ. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અગાઉ સુરતમાં પણ આ પ્રકારે ઝૂંપડપટ્ટીઓ રેગ્યુલરાઈઝ કરવામાં આવી છે, તે જ તર્જ પર મોરબીના ગરીબોને પણ ન્યાય મળવો જોઈએ.મંડળના જણાવ્યા અનુસાર, આ પરિવારો હાલ માનસિક ચિંતામાં જીવી રહ્યા છે કે ક્યારે તેમને બેઘર કરવામાં આવશે. જો તેમને તે જ જગ્યાએ પાકા મકાન બનાવવાની મંજૂરી અથવા સનદ આપવામાં આવે તો:
​સરકારે નવા આવાસ યોજનાના મકાનો ઓછા બનાવવા પડશે.​ગરીબ પરિવારોના બાળકો સુરક્ષિત વાતાવરણમાં અભ્યાસ કરી શકશે.​વર્ષોથી ચાલી આવતી આવાસની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.​ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રીને આ બાબતે તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!