MORBI – મોરબી ખાતે સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતનું બે દિવસીય સંમેલન સંપન્ન થયું

MORBI – મોરબી ખાતે સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતનું બે દિવસીય સંમેલન સંપન્ન થયું
તારીખ 28 ,29 ડિસેમ્બર 2024
સ્થળ :- કંડલા બાયપાસ, ઓમ શાંતિ સંકુલ સૌરાષ્ટ્રના 16 જિલ્લામાંથી 500 થી વધુ કાર્યકર્તાઓની હાજરી
પ્રદર્શની :- સંસ્કૃત વસ્તુ ,ચિત્ર ,વિજ્ઞાન ,હસ્તલેખિત ગ્રંથ ,યજ્ઞ પાત્ર, સંગઠન કાર્ય, વંદે સંસ્કૃત ડિજિટલ સ્ટોર ,સભાસણ સંદેશ ગૃહે ગૃહે સુભાષિતમ ,સંસ્કૃત ગૌરવ પરીક્ષા ,પત્રાચાર દ્વારા સંસ્કૃત વગેરેની અદભુત પ્રદર્શનની રાખવામાં આવી હતી સંસ્કૃત ભારતી દ્વારા પ્રકાશિત વિવિધ સાહિત્ય લોકો ખરીદી શકે તે માટે સાહિત્યના સ્ટોલ રાખવામાં આવ્યા હતા
સંસ્કૃત સાંસ્કૃતિક કાર્યક્રમ :- તારીખ 28 ના રોજ રાત્રે 9:00 થી 11 વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું .જે સંપૂર્ણ સંસ્કૃતમાં હતું ,જેમાં સંવાદ, ગીત, ગરબા ,નૃત્યનાટીકા , કથ્થક,
યજ્ઞશાળા :- બે દિવસ દરમિયાન સતત યજ્ઞ શરૂ રાખવામાં આવ્યો હતો .આવનાર તમામ મહાનુભાવો એ આ યજ્ઞમાં આહુતિ આપી હતી વિવિધ 5 સત્રો:- સંસ્કૃત ભારતીમાંથી ઉપસ્થિત અધિકારીગણે સંસ્કૃતના આ કાર્ય માટે વિવિધ સત્રો દ્વારા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સંરક્ષક:- સંસ્કૃતના આ સંમેલન માટે પોતાની જગ્યા ફાળવીને તેમજ આર્થિક સહયોગ કરીને શ્રી ટી ડી પટેલે સંરક્ષકની ભૂમિકા ભજવી હતી
સંસ્કૃત ભારતી તરફથી માર્ગદર્શક અધિકારીશ્રીઓની ઉપસ્થિતિ :- શ્રી સત્યનારાયણ ભટ્ટ (અખિલ ભારતીય મહામંત્રી, સંસ્કૃત ભારતી) ,શ્રી ચંદ્રશેખર વજે (અધ્યક્ષ પશ્ચિમ ક્ષેત્ર, સંસ્કૃત ભારતી) ,પ્રો. સુકાંતકુમાર સેનાપતિ (કુલપતિ શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય) પ્રો. ચેતન ત્રિવેદી (કુલપતિ શ્રી ભક્ત કવિ નરસિંહ મહેતા વિશ્વવિદ્યાલય) ,શ્રી વિઠ્ઠલભાઈ વાગડીયા (ટ્રસ્ટી સંસ્કૃત ભારતી ,સૌરાષ્ટ્ર પ્રાંત) , શ્રી ધનેશ્રીબેન ભટ્ટ (કેનેડા) તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી, સહમંત્રી વગેરે
[ ] પ્રેરક ઉપસ્થિતિ:- શ્રી દામજી ભગત (નકલંકધામ બગથળા), શ્રી પુરુષોત્તમ ભાઈ રૂપાલા (સાંસદ રાજકોટ), શ્રી કે બી ઝવેરી (જિલ્લા કલેકટર મોરબી), શ્રી જે જે રાવલ (ભૂતપૂર્વ isro વૈજ્ઞાનિક),શ્રી કાંતિલાલ અમૃતિયા (ધારાસભ્ય મોરબી માળિયા), કુમનભાઈ ખૂંટ (રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ) આર્થિક સહયોગ:- ટી ડી પટેલ (ઓમ શાંતિ) ,કાંતિલાલ અમૃતિયા (ધારાસભ્ય) ,અરવિંદભાઈ સોરીયા (ગોપી યુનિફોર્મ) ,પ્રવીણભાઈ રાજાણી (સાર્થક વિદ્યામંદિર) ,પી. ડી. કાંજીયા (નવયુગ વિદ્યાલય) સંમેલનનો હેતુ :- સંસ્કૃત ભાષા જનભાષા બને, તેનો પ્રસાર પ્રચાર થાય ,તેનું રક્ષણ થાય, લોકો સંસ્કૃત ભાષાની વિવિધતા જાણે અને મહત્વ સમજે ,સંસ્કૃત ના કાર્ય માટે કાર્યકર્તાઓ નિર્માણ થાય










