મહાશિવરાત્રીના મેળાના ત્રીજા દિવસે જિલ્લા વહીવટી તંત્રના સાંસ્કૃતિક કાર્યક્રમમાં અઘોરી મ્યુઝિકના કલાકારોની જમાવટ
અઘોરી મ્યુઝિકના કલાકારોએ સોરઠની ધરોહરને ઉજાગર કરતી વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જુનાગઢ : મહાશિવરાત્રી મેળા ત્રીજા દિવસે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક મંચ ભવનાથ તળેટી જુનાગઢ ખાતે સાંકૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સપ્તક સંગીત વિધાલય કલાકારો લોકગીત, દેશભક્તિ ગીતોની અને અઘોરી મ્યુઝિકના કલાકારોએ ફોક મ્યુઝિકની પ્રસ્તુતિ દ્વારા લોકોને મંત્રમુગ્ધ કર્યા હતાં.

રાધા ગોવાલડિના ઘર પસવાડે મોહન મોરલી વગાડે…આભમાં ઝીણી ઝબૂકે વીજળી…
મારો ઠાકર કરે ઈ ઠીક…. તને આમ ગોતું તેમ ગોતું, ગોતું તારો સંગાથ….. જોડે રેજો રાજ સહિતનાં ગીતો અને સોરઠની ધરોહરને ઉજાગર કરતી વિવિધ પ્રસ્તુતિઓ, દુહાઓ, રાસડાઓ આગવી શૈલીમાં રજૂ કરીને લોકોને શૌર્ય રસથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતાં















