MORBI:મોરબી માં શ્રાવણ માસ નો શ્રાવણીયો વરસાદ
MORBI:મોરબી માં શ્રાવણ માસ નો શ્રાવણીયો વરસાદ
વરસાદી માહોલના પગલે નાગરિકોને જિલ્લામાં નદી નાળા સહિતના સ્થળોએ ન જવા કલેક્ટરશ્રીનો અનુરોધ
વરસાદના પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બનવા પામે તે માટે આપત્તિ વ્યવસ્થાપન અર્થે માર્ગદર્શિકા જાહેર કરાઈ
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી
મોરબી જિલ્લામાં શ્રાવણ માસ નો શ્રાવણીયો વરસાદ પડી રહ્યો છે અને વરસાદી મોસમના મંડાણ થયા છે . વરસાદી પાણીના નિકાલ બંધ થઈ ગયા હોવાથી રોડ ઉપર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યારે હળવદ તાલુકામાં માણસો સાથે ટ્રેક્ટર નદીમાં તણાયું છે તેના પગલે જિલ્લાના નાગરિકોએ નદી, નાળા, તળાવ, ડેમ સાઈટ કે અન્ય કોઈ પાણી ભરાતું હોય તેવા સ્થળો ન જવા અને આ બાબતે યોગ્ય તકેદારી રાખવા માટે જિલ્લા કલેક્ટરશ્રી કે.બી.ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન દ્વારા માર્ગદર્શિકા બનાવવામાં આવી છે.
આ બાબતે વાત કરીએ તો સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા ૨૪ કલાકમાં જ સમગ્ર જિલ્લામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. જિલ્લાના લગભગ તમામ નદી, નાળા, તળાવ અને ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. આ સ્થળોએ કોઈ વ્યક્તિ ન જાય અને કોઈ પણ દુર્ઘટના બનવા ન પામે તે માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.
ઉપરાંત રસ્તાઓ પરથી પસાર થતા હોય ત્યારે કોઝ વે પરથી પાણી પસાર થતું ત્યારે રસ્તો પાર ન કરવા તથા ઉંડા પાણીમાં ન જવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. ચાચાપર ગામે નદી કાંઠે રહેણાંક મકાન ની નદી તરફ ધોવાણ થવાના કારણે પડી ગઈ છે.ગામ નાં સરપંચ સહિત ગામ લોકો ભેગા થઇ ગયા છે. ત્યારે આજે સવારથી જ વરસાદ પડી રહ્યો હોય લોકો ઘરમાં પુરાઈ રહ્યા છે તો કોઈ વરસાદ ની મોજ લેવા ચાલું વરસાદમાં બહાર નીકળી ગયાં હતાં અને પલળીને પોત પોતાના ઘરે ગયાં હતાં એકંદરે શ્રાવણ માસ અને જન્માષ્ટમી પર્વ સમયે જ વરસાદ પડી રહ્યો હોવાથી લોકો માં પણ આનંદ વર્તાયો છે