તા.૦૨.૧૦.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી ની ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં મહાત્મા ગાંધીજીના જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ કાર્યરત છે. જેમાં ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે સાથે સાથે અનાથ બાળકો, અપંગ બાળકો અને અતિ ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શન, તાલીમ અને જરૂરી મટીરીયલ આપવામાં આવે છે.
જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી – મોરા – સુખસર તાલીમ કેન્દ્રોના સંચાલક દિલીપકુમાર એચ. મકવાણાએ મહાત્મા ગાંધીજીની છબીને ફૂલહાર પહેરાવીને મહાત્મા ગાંધીજી ની જય જયકારના નારા લગાવ્યા હતા અને મહાત્મા ગાંધી અમર રહો અને તેમની છબીને ફુલહારઅર્પણકરવામાં આવેલ.2જી ઓક્ટોબર ના રોજ મહાત્મા ગાંધીજીના જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી. જેમાં દિલીપકુમાર મકવાણાએ મહાત્મા ગાંધીજીના જન્મ થી માંડીને પોતાના જીવનમાં કરેલ કાર્યો વિશે જાણકારી વિદ્યાર્થીઓને આપી હતી. દેશ માટે જે કાર્યો કર્યા છે તેમની સમજ આપવામાં આવી હતી. અહિંસા અને સત્યાગ્રહ તેમના શસ્ત્રો હતા અને મહાત્મા ગાંધી સત્યના પૂજારી હતા એ વિશે બાળકોને માહિતી આપવામાં આવી હતી. તમામ બાળકોને ચોકલેટો આપવામાં આવી હતી. અને મહાત્મા ગાંધીજીને શત શત પ્રણામ કર્યા હતા. આમ ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ના જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.