MORBI:મોરબીમાં વધતી ગુનાખોરી: ખનીજ ચોરી સામે કડક કાર્યવાહી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી રજુઆત





MORBI:મોરબીમાં વધતી ગુનાખોરી: ખનીજ ચોરી સામે કડક કાર્યવાહી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી રજુઆત

તાજેતરમાં મોરબી શહેર અને જિલ્લાના વિવિધ તાલુકાઓમાં હત્યા, હુમલા, ખનીજ ચોરી અને હની ટ્રેપ જેવી ગંભીર અપરાધિક ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. આ બાબતે મોરબી જિલ્લા ભાજપ કિસાન સેલના પૂર્વ પ્રમુખ અજય ઝાલરીયા દ્વારા માનનીય પ્રધાનમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી અને મોરબી કલેક્ટરશ્રીને સંબોધીને એક નમ્ર અરજ કરવામાં આવી છે કે લોક સુરક્ષા અને સાર્વજનિક હિત માટે ગુનેગારો વિરુદ્ધ કડક કાનૂની પગલાં લેવામાં આવે.

મીડિયા સૂત્રો અને પ્રાપ્ત માહિતી અનુસાર, ચાલુ માસ દરમિયાન મોરબીમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી અનેક ઘટનાઓ બની છે:મોરબી શહેરના વાવડી રોડ પર વેપાર કરી રહેલા એક મહિલા અને તેમના પુત્રને તોફાની તત્વો દ્વારા જાહેરમાં ધમકી આપી ભયનું વાતાવરણ ઊભું કરાયું હતું.જેતપર-અણીયાળી ચોકડીએ હત્યા: એક નિર્દોષ યુવકની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી અને તેના મિત્રને ગંભીર રીતે ઘાયલ કરવામાં આવ્યો.ઉદ્યોગપતિ પર હુમલો: સિરામિક ઉદ્યોગપતિ અને તેમના મિત્ર પર લોખંડના પાઈપ વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી.અન્ય ગુનાઓ: જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરી, ખનીજ ચોરી અને હની ટ્રેપ જેવા બનાવો પણ સતત સામે આવી રહ્યા છે.
વરિષ્ઠ શાસન અને પ્રશાસનને કરવામાં આવેલી રજૂઆતમાં મુખ્યત્વે નીચેના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે: તમામ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ અને તેમના મુખ્ય સૂત્રધારો વિરુદ્ધ સરકારી ધારાધોરણ મુજબ ઉચ્ચસ્તરીય તપાસ થાય.: ગુનેગારોમાં કાયદાનો ડર પેસે તે માટે ઘટના સ્થળે યોગ્ય રિકન્સ્ટ્રક્શન કરી કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવે. પીડિતોને ઝડપી અને ન્યાયિક પ્રક્રિયા દ્વારા ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવે.મોરબીની જનતાની સુરક્ષા એ પ્રાથમિકતા હોવી જોઈએ. જો અપરાધીઓ વિરુદ્ધ ત્વરિત અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે, તો જ સામાન્ય નાગરિકો નિર્ભય બનીને જીવી શકશે. આ અંગે મોરબી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને રાજ્ય સરકાર વહેલી તકે યોગ્ય પગલાં લે તેવી લોક માંગ પ્રબળ બની છે.




