MORBI:મોરબી જલારામ ધામ ખાતે પૂ.જલારામ બાપા ની ૨૨૬ મી જન્મજયંતિ સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવાયો

MORBI:મોરબી જલારામ ધામ ખાતે પૂ.જલારામ બાપા ની ૨૨૬ મી જન્મજયંતિ સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવાયો
છેલ્લા ૧૪ વર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ વિશેષ વ્યક્તિ હોસ્પીટલ ના મહિલા નર્સિંગ સ્ટાફ ના હસ્તે સરપ્રાઈઝ કેક કટીંગ નુ જલારામ ધામ ખાતે અનેરૂ આયોજન
પ્રભાતધૂન,અન્નકુટ દર્શન,કેક કટીંગ, મહાઆરતી, મહાપ્રસાદ, પૂ.જલારામબાપા નુ પૂજન, બપોરે ૪ કલાકે લોહાણા સમાજ ની વડીલ વંદના સહીત ના કાર્યક્રમો યોજાયો
પૂ.જલારામ બાપા ની ૨૨૬મી જન્મજયંતિ નિમિતે લોહાણા સમાજ ના ૨૨૬ વડીલો ની વંદના કરાઈ.
છેલ્લા ૧ માસ માં અવસાન પામેલ લોહાણા સમાજ નાં ૧૨ વડીલોન વંદન કાર્યક્રમ યોજી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ.
સ્વ.કેશવલાલ પરસોતમભાઈ ચંડીભમર હ.માલતીબેન પરસોતમભાઈ ચંડીભમર પરિવાર દ્વારા મોરબી જલારામ ધામ ને લોકો ની સેવા માં એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ.
રાજ્ય સભા ના સાંસદ- વાંકાનેર ના મહારાજા કેશરીદેવસિંહજી ઝાલા, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના ના સંસ્થાપક સ્વ.રસિકલાલ અનડકટ ના સુપુત્ર કેયુરભાઈ અનડકટ, ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ ના નેતા તુષારભાઈ ચૌધરી, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા, પ્રભારી મુકુલ શ્રીવાસ્તવ, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશ ભાઈ મેરજા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા, પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ કગથરા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કીશોરભાઈ ચીખલીયા, મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ પ્રમુખ નિર્મલભાઈ જારીયા, મોરબી નગરપાલીકા ના પૂર્વ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જીલ્લા ભાજપ અગ્રણી નરેન્દ્રસિંહ ઝાલા, જેઠાભાઈ મિયાત્રા, કાજલબેન ચંડીભમર, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહીત ના રાજકીય અગ્રણીઓ ઉપરાંત વિવિધ સમાજ ના અગ્રણીઓએ જલારામ ધામ-મોરબી ખાતે પૂ.બાપા ના ચરણો માં વંદન કરી, લોહાણા સમાજ ના તમામ સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી.
સંત સિરોમણી શ્રી પૂજ્ય જલારામ બાપા ની ૨૨૬મી જન્મ જયંતિ નિમિતે વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ ધામ દ્વારા પૂ.જલારામબાપા ની ૨૨૬મી જન્મજયંતિ સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવવા નુ આયોજન કરવા માં આવ્યુ હતુ. જે અંતર્ગત સવારે ૬ કલાકે પ્રભાતધૂન, ૧૦ કલાકે અન્નકુટ દર્શન, બપોરે ૧૧:૩૦ કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ, બપોરે ૧૨ કલાકે મહાઆરતી,૧૨:૩૦ કલાકે મહાપ્રસાદ, બપોરે ૨ઃ૩૦ કલાકે પૂ.જલારામ બાપા નુ પૂજન, બપોરે ૪ કલાકે લોહાણા સમાજ ની સર્વોચ્ચ સંસ્થા શ્રી લોહાણા મહાજન-મોરબી સહીત ની સંલગ્ન સંસ્થાઓ દ્વારા છેલ્લા ૧ માસ માં અવસાન પામેલ સમાજ ના ૧૨ વડીલો ને શ્રધ્ધાંજલિ અર્પવા ના હેતુસર લોહાણા સમાજ ના વડીલ વંદના કાર્યક્રમ નુ આયોજન કરવા મા આવ્યુ હતું જેમાં લોહાણા સમાજ ના ૨૨૬ વડીલો ની વંદના કરવા માં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી શ્રી જલારામ ધામ દ્વારા પ્રતિવર્ષ જલારામ જયંતિ ના પાવન પર્વ નિમિતે અતિથી વિશેષ તરીકે સમાજ ની વિશેષ વ્યક્તિઓ ને આમંત્રીત કરી તેમના હસ્તે કેક કટીંગ કરાવવા મા આવે છે. *પ્રથમ વર્ષે મનોવિકલાંગ બાળકો, બીજા વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો,ત્રીજા વર્ષે અંધજનો,ચોથા વર્ષે ભિક્ષુકો,પાંચમા વર્ષે શહીદ પરિવાર,છઠ્ઠા વર્ષે વૃધ્ધાશ્રમ ના વડીલો,સાતમા વર્ષે અનાથાશ્રમ ની બાળાઓ,આઠમા વર્ષે કીન્નરો,નવમા વર્ષે મહિલા ટ્રાફીક બ્રિગેડ, દસમા વર્ષે શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ, અગીયાર મા વર્ષે ફાયર બ્રિગેડ ના જવાનો, બારમા વર્ષે હોટેલ માં કામ કરતી પરપ્રાંતિય વેઈટ્રેસ દ્રારા ,તેરમા વર્ષે પીજીવીસીએલ ના વાયરમેન, ગત વર્ષે એસ.ટી. વિભાગ ના મહિલા કંડકટર ના વરદ્ હસ્તે કેક કટીંગ કરવા મા આવ્યુ હતુ.પ્રવર્તમાન વર્ષે પણ સમાજ ના આવા જ વિશેષ વ્યક્તિઓ હોસ્પીટલ ના મહીલા નર્સિંગ સ્ટાફ ને અતિથી વિશેષ તરીકે સ્થાન આપી, તેમના વરદ્ હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવા મા આવી હતી*.
પૂ.જલારામ બાપા ની ૨૨૬મી જન્મજયંતિ ના શુભ દીવસે મોરબી સ્વ.કેશવલાલ પરસોતમભાઈ ચંડીભમર પરિવાર દ્વારા લોકો ની સેવા માં મોરબી જલારામ ધામ ને એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ છે.
પ્રવર્તમાન વર્ષે બપોરે ૪ કલાકે સર્વે લોહાણા સમાજ ના વડીલો માટે શ્રી લોહાણા મહાજન-મોરબી, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી, શ્રી જલારામ ધામ-મોરબી, શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી, શ્રી જલારામ સેવા મંડળ-મોરબી, શ્રી જલારામ ધામ મહિલા મંડળ-મોરબી, શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર-મોરબી સહીત ની વિવિધ સંસ્થાઓ દ્વારા વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૨૨૬ વડીલો ની વંદના કરાઈ હતી.પૂ.જલારામ બાપા ની ૨૨૬ મી જન્મજયંતિ નિમિતે વિવિધ રાજકીય તેમજ સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.











