BHARUCH

જંબુસર પોલીસ મથક ની હદ મા આવેલ ભાણ ખેતર ગામ નજીક મળેલ બિનવારસી અજાણ્યા ઈસમ ની લાશ નો ભેદ ઉકેલાયો લાયો


જંબુસર પોલીસ મથક ની હદ મા આવેલ ભાણ ખેતર ગામ નજીક મળેલ બિનવારસી અજાણ્યા ઈસમ ની લાશ નો ભેદ ઉકલાયો હોવાના તથા આ લાશ બનાસકાંઠા ના થરાદ પોલીસ મથક ના ચોટપા ગામ ના રહેવાસી શંકરભાઈ અચળાજી પટેલ ની હોવાનુ તેમજ તેની ગળે ટુંપો આપી તેની પત્ની ના પ્રેમી એ જ મારી નાંખી તેની લાશ ને ૩૮૦ કિમી દુર જંબુસર ના ભાણખેતર પાસે ફેંકી દીધી હોવાનુ થરાદ પોલીસ ની તપાસ મા ઘટસ્ફોટ થયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
જંબુસર પોલીસ તથા થરાદ પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર પોલીસ મથક ની હદ મા આવેલ ભાણખેતર ગામ નજીક જંબુસર ડાભા માર્ગ ઉપર આવેલ નાળા નીચે ગત તારીખ ૧-૭-૨૩ ના એક અજાણી લાશ મળી આવેલ હતી.અને તે સંદર્ભે જંબુસર પોલીસે અકસ્માત મોત અન્વયે નોંધ કરી તપાસ હાથ ધરી તેના વાલી વારસો ની શોધખોળ આદરવા માટે હાથ ધરેલ પ્રયત્નો ના ભાગ રૂપે તમામ પોલીસ મથકે જાણ કરી હતી.તેના અનુસંધાને આજરોજ બનાસકાંઠા ના થરાદ પોલીસ મથક ના ઈ.ચા.પોલીસ ઈન્સ્પેક્ટર સી.પી. ચૌધરી સ્ટાફ ના માણસો જંબુસર દોડી આવ્યા હતા.અને થરાદ પોલીસ મથક ખાતે નોંધાયેલ ગુના સંદર્ભે તપાસ કરતા જંબુસર નજીક ભાણખેતર પાસે મળી આવેલ બિનવારસી લાશ થરાદ તાલુકા ના ચોટપા ગામ ના શંકરભાઈ અચળાજી પટેલ ની હોવાનુ ફલિત થયુ હતુ.થરાદ પોલીસ મથક ના ઈ.ચા.પોલીસ ઈન્સ્પેક્ટર સી.પી.ચૌધરી એ આ બાબતે વધુ મા જણાવ્યુ હતુ કે જંબુસર ના ભાણ ખેતર ગામ નજીક મળી આવેલ બિનવારસી લાશ ના કિસ્સા મા મૃતકના મિત્ર અને તેની પત્ની ના પ્રેમી અને મૃતકની પત્નીએ પૂર્વ આયોજિત કાવતરું રચી હત્યા કરી હતી.મૃતક ની પત્ની ભાવના ને મૃતક ના મિત્ર શિવા પટેલ રહે.લુવાણા તા.થરાદ સાથે પ્રેમ સંબંધ હતો.અને પ્રેમ સંબધ મા મૃતક શંકરભાઈ પટેલ આડખીલી બનતો હોય તેનો કાંટો કાઢી નાંખવા ના ઈરાદે મૃતકના મિત્ર શિવા પટેલે શંકર ભાઈ ને ફરવાના જવાનું કહી ને બોલાવ્યો હતો. અને પહેલા થી પૂર્વ આયોજીત કાવતરાં મુજબ કારમાં મૃતક શંકરભાઈ ને પ્રવાહી મા ઘેનની ગોળીઓ નાંખી ને પીણુ પીવડાવી બેભાન કરી કાર માં જ ધાનેરા અને ડિસા હાઇવે પર ૨૯ જૂન ના રાત્રે પત્નીનો પ્રેમી અને દગાબાજ મિત્ર શિવા એ શંકરભાઈ નુ દોરી થી ગળુ દબાવી હત્યા કરી ને
મૃતક શંકરભાઈ મૃતદેહને કારમા ડીસા થી પાલનપુર, અમદાવાદ, વડોદરા થી જંબુસર નજીક ૩૮૦ કિમી દુર ભાણખેતર પાસે લઈ જઈને રોડ ની બાજુ માં આવેલ નાળા નીચે તા.૨૯ જૂનના બીજાં દીવસે સવારે ફેકી દીધો હતો.મૃતકની માતાએ પુત્ર ગુમ થયાની થરાદ પોલીસ મથકે લેખીત રજુઆત કરતા થરાદ પોલીસ મથક ના ઈ.ચા. પોલીસ ઈન્સ્પેક્ટર સી.પી.ચૌધરી તથા સ્ટાફે તલસ્પર્શી તપાસ હાથ ધરતા હત્યા નો ભેદ ઉકેલાયો હતો. મૃતક શંકર પટેલની માતાએ મૃતકનો મિત્ર શિવા પટેલ રહે. લવાણા તા. થરાદ તેમજ મૃતકની પત્ની ભાવના પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી દગાબાજ મિત્ર તથા મૃતક ની પત્ની ને દબોચી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!