GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન પાસે પાટામાં તિરાડ પડતા રેલ્વે વિભાગ દ્વારા તાત્કાલિક પાટાનું મટીરીયલ બદલાયું

 

MORBI:મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન પાસે પાટામાં તિરાડ પડતા રેલ્વે વિભાગ દ્વારા તાત્કાલિક પાટાનું મટીરીયલ બદલાયું

 

 

મોરબીમાં આવેલ નજરબાગ રેલવે સ્ટેશન પાસે રેલવેના પાટા પર તિરાડ પડેલી ધ્યાને આવતા રેલ્વે વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરી આ પાટા પર મટીરીયલ બદલી દેવામાં આવ્યું હતું.

મોરબીમાં મુખ્ય રેલ્વે સ્ટેશન અને નજરબાગ રેલવે સ્ટેશન એમ બે રેલવે સ્ટેશન આવેલા છે. આ બંને રેલ્વે સ્ટેશન પરથી મુખ્ય મોરબી વાંકાનેર વચ્ચે ચાલતી ડેમો ટ્રેન સહિત અન્ય ટ્રેન પસાર થાય છે. ગત ૦૯ નવેમ્બરના રોજ ૦૭:૩૦ આસપાસ નજરબાગ રેલવે સ્ટેશન પાસે આવેલ પાટામાં તિરાડ ધ્યાનમાં આવી હતી. જે બાબતે બ્યુટી પરના કીમેન દ્વારા તાત્કાલિક ધોરણે રેલવે તંત્રનો આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું. રેલવે દ્વારા બીજા દિવસે ૧૦ નવેમ્બરના રોજ આ પાટાનું મટીરીયલ બદલી દેવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!