MORBIMORBI CITY / TALUKO
MORBI:માતુશ્રી વીરબાઈ માઁ ની પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે.

MORBI:માતુશ્રી વીરબાઈ માઁ ની પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે.
મોરબી ના ગંગારામભાઈ દેવચંદભાઈ કક્કડ (શ્રી હરી પરિવાર) ના સહયોગથી સુંદરકાંડ, ધૂન-ભજન તથા મહાપ્રસાદ નું આયોજન.
સંત શિરોમણીશ્રી પ.પૂ. જલારામ બાપા ના ધર્મ પત્નિ માતુશ્રી વીરબાઈ માઁ ની પૂણ્ય તિથી નિમિતે આવતીકાલ તા.૧૩-૧૧-૨૦૨૫ ગુરુવાર કારતક વદ-૯ ના રોજ મોરબી જલારામ ધામ ખાતે ગંગારામભાઈ દેવચંદભાઈ કક્કડ (શ્રી હરી પરિવાર) ના સહયોગથી ત્રિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત સાંજે ૪ થી ૬ ધૂન-ભજન, સુંદર કાંડ ના પાઠ, પૂ.જલારામ બાપા તથા માતુશ્રી વીરબાઈ માઁ ની મહા આરતી ત્યાર બાદ મહાપ્રસાદ યોજવા માં આવશે.






