NATIONAL

મંદિરના પૈસા સરકારી નથી, ફક્ત દેવતાનો અધિકાર..:મદ્રાસ હાઇકોર્ટે

મદ્રાસ હાઇકોર્ટે તમિલનાડુ સરકારને ઝટકો આપ્યો છે. કોર્ટે કહ્યું કે ભક્તો દ્વારા મંદિરમાં આપવામાં આવેલા દાનના પૈસા પર ફક્ત દેવતાઓનો હક છે. આવી સ્થિતિમાં તેનો ઉપયોગ ફક્ત મંદિરના કોઈ કાર્ય માટે અથવા તો ધાર્મિક અને ધર્માર્થે કરવો જોઈએ. આ નિર્ણયની સાથે હાઇકોર્ટે 2023થી 2025 વચ્ચે રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા 5 આદેશોને પણ રદ કર્યા છે, જેમાં મંદિરના ભંડોળનો ઉપયોગ કરીને લગ્ન હોલ બનાવવાનું કહેવામાં આવ્યું હતું.

મંદિરની મિલકત અને ભંડોળને સરકાર દ્વારા વ્યાવસાયિક રીતે ઉપયોગ સામે દાખલ કરવામાં આવેલી અરજીમાં અરજદારે દાવો કર્યો હતો કે, સરકારને મંદિરના ભંડોળનો ઉપયોગ કરવાનો કોઈ અધિકાર નથી. અરજદારે દલીલ કરી હતી કે, સરકાર મંદિરના નાણાંથી જે લગ્ન હોલ બનાવવા માંગે છે તેનો કોઈ ધાર્મિક હેતુ નથી, કારણ કે તે ભાડા પર આપવામાં આવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!