AHAVADANGGUJARAT

ગિરિમથક સાપુતારા ખાતે યોજાયુ દક્ષિણ ગુજરાતના નિવૃત્ત વન અધિકારીઓનુ સ્નેહમિલન…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

દક્ષિણ  ગુજરાતના નિવૃત્ત વન અધિકારીઓનુ છઠ્ઠુ સ્નેહમિલન સંમેલન ગિરિમથકની ગોદમા યોજાઈ ગયુ.

વન જતન અને સંવર્ધન સાથે આજીવન પનારો પાડનારા વનકર્મીઓ સાહજિક રીતે જ વનો પ્રત્યે આકર્ષાતા હોય છે. ત્યારે સમયાન્તરે મળતા તેમના સ્નેહમિલન સમારંભનો આ પ્રસંગ સાપુતારાના આંગણે તાજેતરમા યોજાઈ ગયો. જેમા મોટી સંખ્યામા નિવૃત્ત વન અધિકારી/કર્મચારીઓએ તેમના કુટુમ્બ સહિત ઉપસ્થિત રહી, પરસ્પર આ સમારોહને માણ્યો હતો.દરમિયાન આયોજકોનુ યાદગાર આયોજન પ્રસંશનીય રહ્યુ. પ્રકૃતિ  જતન તથા તેના સંવર્ધનમા નિવૃતિ બાદ પણ જોમ અને જુસ્સો યથાવત રહેતા, તેમની આ મક્કમતા પ્રેરણાદાયક બની રહી. વન જતન સંવર્ધન માટેનો સૌનો સહિયારો સંકલ્પ અનેરો રહ્યો.  વન વૈભવના વારસાને જાળવવાના અને પ્રકૃતિના જતન બાબતે સૌ જાગ્રત રહીએ એ વિચારને સંકલ્પ બનાવવા સાથે, મનોરંજક કાર્યક્રમોની કલાક્રુતિ સાથે કાર્યક્રમનુ સમાપન કરાયુ હતુ.

Back to top button
error: Content is protected !!