જૂનાગઢમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન : શહેરની દિવાલો અને રસ્તાઓ તિરંગાના રંગે રંગાયા
જૂનાગઢ શહેરના વિવિધ રસ્તાઓ પર વોલ પેઇન્ટિંગ, રાષ્ટ્રધ્વજ લગાડવામાં આવ્યા

જૂનાગઢમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન : શહેરની દિવાલો અને રસ્તાઓ તિરંગાના રંગે રંગાયા”
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ભારતના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત જૂનાગઢ શહેરમાં દેશભક્તિનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. આ અભિયાન હેઠળ શહેરના વિવિધ રસ્તાઓ અને જાહેર સ્થળોએ રાષ્ટ્રધ્વજ લગાડવામાં આવ્યા છે, સાથે જ આકર્ષક વોલ પેઇન્ટિંગ દ્વારા દેશભક્તિનો સંદેશ ફેલાવવામાં આવી રહ્યો છે.





