GUJARATSAYLA

મુળી તાલુકા અને સોમાસર ગામ વચ્ચે એસટી બસ પલ્ટી ખાતા 20 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત

આજે સવારે 9 વાગ્યાની આસપાસ રાજકોટ, સુરેન્દ્રનગર હાઇવે પર એસટી બસ પલ્ટી ખાતા 20 થી વધુ મુસાફરોને ઈજાગ્રસ્ત.

રાજકોટ થી સુરેન્દ્રનગર આવતી એસટી બસ અચાનક પલ્ટી ખાતા અનેક મુસાફરો ઘાયલ થયા.ઘાયલ થયેલા મુસાફરોને સારવાર હેઠળ ખસેડાયા‌.આજુબાજુના તાલુકાની 108 એમ્બ્યુલન્સ ટીમ દોડતી થઈ.એમ્બ્યુલન્સ મારફતે સી.યુ.શાહ હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે ઘાયલ થયેલા મુસાફરોને સારવાર હેઠળ ખસેડાયા.ઘટના બનતા તમામ ડોક્ટરો ખડપગે કામે લાગી ગયા.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા

Back to top button
error: Content is protected !!