GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટમાં એન્વાયરો પ્રોજેક્ટ કંપની ખાતે વૃક્ષોનું વાવેતર કરાયું
તા.૧/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત સરકારે પર્યાવરણ જતન અર્થે પ્લાસ્ટિકમુક્ત અભિયાન કાર્યરત કર્યું છે. જેનો હેતુ સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ પૂરું પાડવાનો છે. જે અન્વયે રાજકોટમાં ગત તા. ૨૧ મેના રોજ ‘એન્વાયરો પ્રોજેક્ટ’ કંપની ખાતે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. તેમજ આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોએ ‘મિશન લાઇફ’ હેઠળ પર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિકના દૈનિક વપરાશને ટાળવાનો સંકલ્પ કર્યો હતો. આમ, ગુજરાત સરકાર પ્લાસ્ટિકના દૂષણને નાથવા અને ટકાઉ જીવનશૈલી અપનાવવા માટે પ્રતિબદ્ધ છે.