21 ફેબ્રુઆરી 2024
હર્ષલ ખંધેડિયા :- જામનગર
જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં આવેલ શ્રી સરસ્વતી શિશુમંદિર શૈક્ષણિક સંકુલમાં માતૃભાષા મહોત્સવ યોજાય ગયો..આજ રોજ શ્રી સરસ્વતી શિશુમંદિર શૈક્ષણિક સંકુલ કાલાવડ માં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં માતૃભાષા નું જીવનમાં શું મહત્વ છે. તેના વિશે વિદ્યાર્થીઓ દ્વારા વિચાર રજૂ કરવામાં આવ્યા હતાં અને ત્યારબાદ ચૌદ વર્ષની ચરણ કન્યા , આંધળી માનો કાગળ , ગુજરાત મોરી મોરી , જ્ય જાય ગરવી ગુજરાત જેવા સુંદર કાવ્યો ,ગીત ,લોકગીતો, વાર્તાઓ,લોકવાર્તાઓ ગુજરાતી માતૃભાષા ની વિશેષતાઓ શાબ્દિક રજૂઆત વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સુંદર અભિયક્ત કરવામાં આવી હતી..