GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

એરાલ થી હાલોલ તરફ જતા મોટરસાયકલને ટ્રકે અડફેટમાં લેતા ચાલકનું ઘટનાસ્થળે મોત એક ઈજાગ્રસ્ત

તારીખ ૦૬/૦૯/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

દેવગઢ બારીયા તાલુકાના માંડવ ગામના કિરણભાઇ સાંકલાભાઈ રાઠવા અને મહેંદ્ર બળવંત રાઠવા દેવગઢ બારીયા થી વાયા પરોલી થઈ યામાહા મોટરસાયકલ લઈને હાલોલ જવા નીકળ્યા હતા ત્યારે સાંજના સાડા સાત વાગ્યે એરાલ ચોકડી થી થોડે દૂર એક હાલોલ થી બારીયા તરફ જતા ગેસ ના બોટલો ભરી જતા એક ટ્રક ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ટ્રક હંકારી મોટરસાયકલને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો અને મોટરસાયકલ ચાલક કિરણભાઈ નો માથામાં ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે મોત નિપજયું હતુ અને મહેન્દ્ર ભાઈ રાઠવા ને ડાબા પગે સાથળના ભાગે ફેક્ચર કરી ખભા પર તેમજ મોઢા પર તેમજ ડાબા કાંડા પર ઈજાઓ કરી પોતાનો ટ્રક લઈને નાસી છૂટ્યો હતો ઈજાગ્રસ્ત મહેન્દ્રભાઈ ને ૧૦૮ મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ મા પ્રાથમિક સારવાર કરાવી વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા મૃતક કિરણભાઇ ની લાશ ને પીએમ માટે મુકાવી રણજીતભાઇ બારીયા ની ફરીયાદ આધારે પોલીસે ટ્રક નં જીજે ૧૭ યુ યુ ૯૬૮૭ ના ચાલક સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!