BANASKANTHAGUJARATPALANPUR

શ્રીમતી સાળવી (સ્વસ્તિક) પ્રાથમિક શાળા, પાલનપુર ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી

12 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

ગુરુ શબ્દનો તાત્વિક અર્થ જોઈએ તો સંસ્કૃતમાં ગુ એટલે અંધકાર અને રુ એટલે અંધકારથી પ્રકાશ તરફ ગતિ કરાવતી શક્તિ કે વ્યક્તિ એટલે ગુરુ. આધુનિક યુગમાં ભારતીય સંસ્કૃતિ અને ગુરુ શિષ્ય પરંપરા ને ઉજાગર કરવા પાલનપુરના સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન શ્રીમતી એસ.સી. સાળવી અને શ્રીમતી એમ. એસ. સાળવી પ્રાથમિક શાળા ખાતે ગુરુપૂર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન ડો. ડી. આર. બ્રાહ્મણ (પ્રાચાર્ય – જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાલનપુર) તેમજ ભારત વિકાસ પરિષદના રિજીયોનલ સેક્રેટરી કારોબારી સભ્ય દિનેશભાઈ વોરા, ભરતભાઈ જોશી, ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખાના પ્રમુખ ભુપેન્દ્રભાઈ સુથાર, મંત્રી અલ્પેશભાઈ મહેશ્વરી, હર્ષદભાઈ જોશી, સોનલબેન મોઢ, યોગેશભાઈ કચોરીયા, કિરણભાઈ સોની, ડો. મનિષભાઈ મહેશ્વરી, મીનાબેન મહેશ્વરી, અંજનાબેન જોશી સહિત મંડળના ટ્રસ્ટી રોહિતભાઈ ભુટકા અને રામચંદભાઈ માતમડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂ પૂજન કરવામાં આવ્યું હતું. ગુરુ મહિમા ને અનુરૂપ વક્તવ્ય અને ગુરુ ભજન પણ રજૂ કરવામાં આવ્યા હતાં. તદુપરાંત, વિશેષ સિદ્ધિ મેળવનાર અને તેજસ્વી વિદ્યાર્થીઓને તથા શાળાના શિક્ષિકા સુનિતાબેન ગામીને પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય મહેશભાઈ પટેલ, રવિન્દ્રભાઈ મેણાત અને ઉપાચાર્ય રંજનબેન પટેલ તથા સુપરવાઇઝર પીનાબેન અને હીનાબેન દ્વારા સમગ્ર સ્ટાફ નાં સહયોગ થી કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!