GUJARAT

રબને રાજી કરવા રાજપીપળામાં મુહમ્મદ દાનિશે જીવનનો પહેલો રોજો રાખ્યો

રબને રાજી કરવા રાજપીપળામાં મુહમ્મદ દાનિશે જીવનનો પહેલો રોજો રાખ્યો

 

જુનેદ ખત્રી : રાજપીપલા

 

 

રમઝાનનો પવિત્ર માસ શરુ થતા જ મુસ્લિમો પોતાના રબ ને રાજી કરવા પવિત્ર રમઝાન માસ દરમિયાન રોજા રાખી નમાજ પઢી અને દુઆઓ ગુજારી બંદગી કરી રહ્યા છે

 

મુસ્લિમ સંપ્રદાયનો વર્ષભરનો અતિ મહત્વનો ગણાતો પવિત્ર માસ રમઝાન માસ. જે ખુબ મહિમા ધરાવતો માસ કહેવાય છે. પવિત્ર રમઝાન માસની વાત કરીએ તો ધૈર્ય, સખાવત અને કસોટીનો ત્રિવેણી સંગમ સમો માસ પણ કહેવાય છે. ત્યારે વિશ્વભરના મુસલમાનો એક માસ સુધી રોઝા ઉપવાસ કરી ખુદની બંદગીમાં મશગુલ બન્યા છે.

પ્રારંભ થયેલા રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરો અલ્લાહની ઇબાદતમાં ભૂખ્યા તરસ્યા રહી ઉપવાસ રાખી રહ્યા છે. ત્યારે નાના ભૂલકાઓ પણ અલ્લાહની ઈબાદતમાં રોજો રાખી ઉપવાસી બની રહ્યા છે. ઘરના વડીલો ભૂલકાઓને નાનપણથી રમજાન એટલે શું અને આ માસ દરમ્યાન કરવામાં આવતા ઉપવાસ રોજાનું ધાર્મિક મહત્વ શું, એ સમજાવી ઇસ્લામ અને અલ્લાહ પ્રત્યેની ધાર્મિકતા સમજાવવા ભૂલકાઓને પણ રોજા કરાવતા હોય ત્યારે રાજપીપળામા ૦૬ વર્ષીય મોહમ્મદ દાનીશે આજે તેના જીવનનો પહેલો રોજો રાખી રબને રાજી કરવાનો પ્રયાસ કર્યો છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!