જે.સી.ટી ગ્રુપ સંચાલિત માય શાનેન સ્કૂલ બોડેલી દ્વારા શૈક્ષણિક વિદ્યાર્થી ઓનુ પ્રમાણ પત્ર આપી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું.
અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમના કેજી થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓને શિક્ષણ તેમજ બિનશૈક્ષણિક ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ ને શાળા દ્વારા વર્ષ દરમિયાન થયેલ વિવિધ અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લઈ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ અને શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને આજે જેસીટી ગ્રુપ ના ચેરમેન લોકકેન્દ્રસિંહ વાંસદીયા, પ્રતિ સંજયસિંહ રાજ પરમાર, નવજીવન હાઈસ્કૂલના ટ્રસ્ટી જતીનભાઈ પંચોલી તેમજ નવજીવન સ્કૂલ નાં પ્રિન્સિપાલ જાધવ સર તેમજ નારાયણસિંહ વાંસદીયા, એડવોકેટ મોહસીન મનસુરી, આનંદબા વાંસદીયા, અને શાળાના હેડ વૈદેહીબેન શાહ, શાળાના અંગ્રેજી માધ્યમના આચાર્ય આશિષભાઈ કોલી તેમજ ગુજરાતી માધ્યમના આચાર્ય હાર્દિકભાઈ ડાબસરા તથા શાળાના શિક્ષક મિત્રો ના હસ્તે પ્રમાણપત્ર સાથે ટ્રોફી અને સર્ટિફિકેટ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારે શાળાના ટ્રસ્ટી મંડળ દ્વારા શાળાની શરૂઆત થી જ શાળા સાથે જોડાયેલા શિક્ષક મિત્રોને પણ શાલ ઓઢાડી પ્રમાણપત્ર આપી તેઓનું પણ વિશિષ્ટ રીતે સન્માન કરવામાં આવ્યું હતું.
આજના આ પદવીદાન સમારોહ દરમિયાન કેજી માંથી પ્રાયમરી, પ્રાયમરી માંથી અપર પ્રાયમરી, અપર પ્રાયમરીમાંથી સેકન્ડરી માં પ્રવેશ કરનાર વિદ્યાર્થીઓ માટે નું આયોજન પણ કરવામાં આવ્યું હોય શાળાના આયોજનથી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં એક અનેરી ખુશી જોવા મળી હતી.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી