દેડીયાપાડા ખાતે દિવ્યાંગજનો માટે ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરાયું
સમતા કેળવણી મંડળ ડભોઇના સહયોગથી દેડીયાપાડા ખાતે એક દિવસ સેમીનારનું આયોજન
રાજપીપળા: જુનેદ ખત્રી
દિવ્યાંગજન સશક્તિકરણ કેન્દ્ર ની સ્થાપના ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન ગાંધીનગર ખાતે નિયામક સમાજ સુરક્ષા અને ગુજરાત રાજ્ય વિકલાંગ (દિવ્યાંગ) નાણા અને વિકાસ નિગમ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે
આજરોજ નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે સમતા કેળવણી મંડળ ડભોઇના સહયોગથી એક દિવસિય દિવ્યાંગજનો માટે ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમ માં કુલ ૭૦ લાભાર્થીઓએ લાભ લીધો હતો ઉપરાંત આ કાર્યક્રમમાં પી.બી. રાણપરીયા સમાજ સુરક્ષા અધિકારી તેમજ તેમની ટીમ દ્વારા દિવ્યાંગનો માટે સરકારી યોજનાઓની માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી
કાર્યક્રમ નો મુખ્ય હેતુ દિવ્યાંગજનો ને ઉદ્યોગ સાહસિકતા માટે માર્ગદર્શન આપવાનો તેમજ સરકારી યોજનાઓ થકી નાના વ્યવસાય કરી તેઓ પોતાનું ગુજરાન સારીરીતે ચલાવી શકે તેમજ સમાજ સાથે પગભર થઈ આગળ વધી શકે તે રહેલો છે તેમ આયોજકો દ્વારા જણાવાયું હતું