
વિજાપુર શહેરમાં મોહરમ ના તહેવાર નિમિત્તે તાઝિયા અને ઝુલ્ફીકાર નું ઝુલુસ નીકળ્યું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરમાં મોહરમના તાઝિયા તેમજ ઝુલ્ફીકાર સાથે ઝુલુસ કાઢવામાં આવ્યું હતુ મુસ્લીમ સમાજ નો આ તહેવાર માં દરેક જાતિ ધર્મના સર્વે લોકો શહેરમાં નીકળતા આ તાઝિયા પ્રત્યે દરેક લોકો શ્રધ્ધા સાથે નીત મસ્તકે દુવાઓ પ્રાર્થના કરી આ તહેવાર એકતાના ભાઈચારાની વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તાઝિયાનુ ઝુલુસ શહેરમાં કસ્બા હુસેની ચોક વિસ્તારમાં મોમનવાડા ના તાઝિયા તેમજ સુન્ની હનફી મસ્જીદ કસાઈવાડાના તાઝિયા સહીત ત્રણે ભેગા થાય છે ત્યારે હૈદરી ચોક માંથી ઝુલ્ફીકાર નો ઝુલુસ નીકળી હુસેની ચોક માં ઝુલ્ફીકાર આવે છે જેમાં હુસેની ચોકના ઝુલ્ફીકાર તેમજ હૈદરીચોક ના ઝુલ્ફીકાર સાથે તાઝિયાને ઉઠાવવા માં આવે છે આ તાઝિયા સાંથ બજાર ઉંડીશેરી સૈયદવાડા વ્હોરવાડ અશરફી ચોક સુથારવાડો દોશીવાડો વૈધનોમાઢ ચીસ્તીવાડો કસાઈ વાડા સહિતના વિસ્તારોમાં ફેરવવા માં આવે છે અને ચક્કર પોહચે છે આ દરમ્યાન ઠેરઠેર પ્રસાદી ન્યાઝ નું વિતરણ કરવામાં આવે છે. આ પ્રસંગ અંગે સુલતાન શાહ બાવા દરગાહ ના ગાદીપતિ આમીનઅલી શાહ મલંગે જણાવ્યું હતુકે આ તહેવાર સત્યની કાજે શહીદી થયેલ હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના નવાસા હઝરત ઇમામ હુસેન તેમજ ઈમામ હસન સહિત કરબલા માં 72 જેટલા શહીદોની યાદ તાજી રાખવા માટે તહેવાર ઉજવાય છે. અને મસ્જીદોમાં આ માટે નમાજ પણ પઢાવવા માં આવે છે. મોહરમ નો મહિનો મુસ્લીમ ધર્મનો પ્રથમ મહિનો પણ ગણવા માં આવે છે અને આ મહિના ની 10 મા ચાંદ માં કરબલા ખાતે ઇસ્લામ ધર્મના 72 શહીદોને યાદ તાજી રાખવા રાખવામાં આવે છે.




