NANDODNARMADA

મણિપુર હિંસા વિશે નહિ બોલતા આદિવાસી નેતાઓ બંગડીઓ પહેરવાના હકદાર : ડો. શાંતિકર વસાવા

મણિપુર હિંસા વિશે નહિ બોલતા આદિવાસી નેતાઓ બંગડીઓ પહેરવાના હકદાર : ડો. શાંતિકર વસાવા

“મણિપુરની હિંસા રાજ્ય સરકાર દ્વારા નિર્મિત કાવતરું” : ડો. શાંતિકર વસાવા

મણિપુર હિંસા મુદ્દે આદિવાસી એકતા પરિષદ દ્વારા નર્મદા જિલ્લા કલેકટરને આવેદન

જુનેદ ખત્રી : રાજપીપળા

મણિપુરમાં સતત ત્રણ મહિનાથી હિંસા ચાલી રહી છે ત્યારે થોડા દિવસ અગાઉ બે મહિલાઓને નગ્ન કરી શારીરિક ત્રાસ આપતો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે આદિવાસી સમાજમાં પણ તેના ઘેરા પ્રતયાઘાત જોવા મળી રહ્યા છે

મણિપુરમાં મહિલાઓ ઉપર થયેલ અમાનવીય ઘટનાના વિરૂદ્ધ આદિવાસી સમાજનું આંતરાષ્ટ્રીય સંગઠન આદિવાસી એકતા પરિષદ મહિલા પાંખના નેજા હેઠળ આદિવાસી આગેવાનો ભેગા મળી નર્મદા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં મણિપુરમાં બનેલ હિંસાઓ સંદર્ભે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે ઉપરાંત મહિલાઓ સાથે બનેલ અમાનવીય ઘટનાના આરોપીઓ ને સખત સજા થાય મણિપુરમાં ચાલી રહેલ હિંસા બંધ થાય તેવી માંગ કરવામાં આવી છે

આદિવાસી આગેવાન ડો. શાંતિકર વસાવા એ જણાવ્યું હતું કે મણિપુરમાં હિંસા સહિત મહિલાઓ સાથે બનેલ અમાનવીય ઘટનાઓના કારણે ભારતને સમગ્ર વિશ્વમાં નીચું જોવાનો વારો આવ્યો છે સ્ત્રી પ્રકૃતિનું રૂપ છે જેનું કામ સર્જન અને પોષણ કરવાનું છે જો તેમની ઉપર હુમલા નિંદનીય છે મણિપુરની હિંસા રાજ્ય સરકાર દ્વારા નિર્મિત કાવતરું છે તેમ લાગી રહ્યું છે આદિવાસી સમાજ ઉપર હજારો વર્ષથી અત્યાચાર થઈ રહ્યા છે આઝાદી પછી વિકાસના નામે અત્યાચારો થયા હવે ધરમના નામે અત્યાચારો થઈ રહ્યા છે આદિવાસી હિન્દુ બન્યો હોય જે ખ્રિસ્તી બન્યો હોય એ અમારો ભાઈ છે તેની ઉપર અત્યાચાર થશે તો અમે બેસી નહિ રહીએ સત્તામાં બેઠેલા લોકો ઘડિત a પગલું છે તેમ પણ આક્ષેપ કર્યો હતો ઉપરાંત

*** વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રતિકારાત્મક રીતે કરીશું : ડો. શાંતીકર વસાવા

સામાન્ય રીતે આદિવાસી સમાજ ૯ ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ ધામ ધૂમથી ઢોલ નગાડા સાથે પરંપરાગત રીત રિવાજ મુજબ ઉજવે છે પરંતુ મણિપુર હિંસાના વિરોધમાં આ વર્ષે વિશ્વ આદિવાસી દિવસ મૌન રેલી સ્વરૂપે ઉજવાશે તેમ ડો. શાંતિકર વસાવાએ જણાવ્યું હતું

** આદિવાસી નેતાઓને લીધા આડે હાથ ….

આજે એટલી મોટી ઘટના બની ત્યારે ૯૫ % આદિવાસી જન પ્રતિનિધિઓ મૌન છે તેઓ વોટ લેવા આવે ત્યારે તેમના માટે બંગડીઓ તૈયાર રાખવા બેહનોને અપીલ કરી આદિવાસી સમાજના જે નેતાઓ બોલતા નથી તેઓ બંગડીઓ પેહેરવાના હકદાર છે તેમ આક્ષેપ લગાવ્યો હતો અને આદિવાસી નેતાઓ જન પ્રતિનિધિઓ ને આડે હાથ લીધા હતા એવા નેતાઓ ના પૂતળાને બંગડીઓ પેહરવવાના કાર્યક્રમ આખા દેશમાં કરવા જોઈએ તેમ પણ જણાવ્યું હતું

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!