શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા દ્વારા અંબાલી ગામે આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ નો કાર્યક્રમ આયોજિત થયો
ગોધરા
રિપોર્ટર નિલેશ દરજી શહેરા
09/08/2023
મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત અંબાલી અમૃત તલાવડી ખાતે કાર્યક્રમનું આયોજન થયું હતું
ગોધરાની જાણીતી શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા દવારા મેરી મિટ્ટી મેરા દેશ થીમ અંતર્ગત અંબાલી અમૃત તલાવડી ખાતે પ્રોગ્રામનું આયોજન થયું હતું. આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં એનએસએસ વોલેન્ટયર્સ, પ્રાથમિક શાળાના બાળકો, ગ્રામજનો ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે 75 થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ પ્રસંગે ગામના એક્સ આર્મીમેન સુરસીંગ બારીયાનું સાલ ઓઢાડી એનએસએસ વિભાગ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોને પ્રોટોકોલ પ્રમાણે પ્રતિજ્ઞા પણ લેવડાવાઈ હતી. ડેપ્યુટી સરપંચ સમીરભાઈ પટેલ, ડીપીઓ મેડમ શ્રી, ખેતીવાડીના એક્સટેન્શન અધિકારી શિલ્પા મેડમ, તલાટી શ્રીમતી શારદાબેન, આશા વર્કર બહેનો, ખરીદ વેચાણ સંઘના તાલુકાના અધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ પટેલ, મોટી સંખ્યામાં ગામના વડીલો અને એનએસએસના વિદ્યાર્થીઓએ પ્રોગ્રામ સફળ બનાવ્યો હતો. પ્રોગ્રામ બાદ કોલેજ કેમ્પસ ખાતે પણ વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ ગ્રામજનોને મતદાન જાગૃતિનો સંદેશ પણ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડો રૂપેશ એન નાકર NSS પ્રોગ્રામ ઓફિસર તથા ગામના સરપંચ શ્રી ડાયાભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામ સંબંધીત આયોજન માટેની શુભકામનાઓ આચાર્યશ્રી ડો એમ બી પટેલ સાહેબે આપી હતી.