NANDODNARMADA

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ૨૦૨૫ : નવા મતદારોની નોંધણી તેમજ જરૂરી સુધારા વધારા કરી શકાશે

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ૨૦૨૫ : નવા મતદારોની નોંધણી તેમજ જરૂરી સુધારા વધારા કરી શકાશે

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

લોકશાહીના પર્વ સમાન વિવિધ ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા. ૦૧ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ભારતીય ચૂંટણી પંચ નવી દિલ્હી દ્વારા તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૫ ની લાયકાત તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. સદર કાર્યક્રમ મુજબ હક્ક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા. ૨૯/૧૦/૨૦૨૪ થી ૨૮/૧૧/૨૦૨૪ નિયત કરવામાં આવ્યો છે.

નર્મદા જિલ્લાના સમાવિષ્ટ ૧૪૮- નાંદોદ અને ૧૪૯- દેડિયાપાડા વિધાનસભા મતવિભાગોમાં તા.૨૯/૧૦/૨૦૨૪ (રવિવાર), તા.૨૩/૧૧/૨૦૨૪ (શનિવાર) અને તા. ૨૪/૧૧/૨૦૨૪ (રવિવાર) ના દિવસોને ખાસ ઝુંબેશના દિવસો તરીકે જાહેર કરવામાં આવ્યો હોય લાયકાત તા. ૦૧/૦૧/૨૦૨૫ ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેવા લાયકાત ધરાવતા તમામ મતદારો તથા ખાસ કરીને ૧૮-૧૯ વયજુથના તેમજ ૨૦-૨૯ વયજુથના અને ૧૮ વર્ષથી ઉપરના પણ કોઈ પણ મતદારનું મતદાર યાદીમાં નામ ન હોય તેવા લાયકાત ધરાવતા મતદારો પોતાના વિસ્તારમાં આવેલ મતદાન મથકોએ જઈ બી.એલ.ઓ. પાસે ઝુંબેશના દિવસો દરમ્યાન સવારે ૧૦.૦૦ કલાકથી સાંજે ૫.૦૦  ના રોજથી શરૂ થયેલા મતદારયાદી ખાસ કલાક સુધીમાં મતદાર તરીકે નોંધણી તેમજ પોતાની અન્ય વિગતોમાં સુધારો કરી શકે છે.

 

ઉપરાંત,  મતદારો વિવિધ ઓનલાઈન માધ્યમો જેવા કે, Voters.eci.gov.in, Voter Helpline Mobile application, voter service portal દ્વારા ઘરે બેઠા મતદાર તરીકે નોંધણી, સુધારા-વધારા તથા નામ કમી કરી શકે છે. તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલ અખબારી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!