થરામાં વર્ષોની પરંપરા મુજબ જલ-જીલણી અગિયારસે ઠાકોરજીની શોભાયાત્રા નીકળી..
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા જૂનાગામતળ માં આવેલ શ્રી રામચંદ્ર ભગવાનના મંદિરેથી વર્ષોથી ઠાકોરજીની શોભાયાત્રા નીકળે છે

થરામાં વર્ષોની પરંપરા મુજબ જલ-જીલણી અગિયારસે ઠાકોરજીની શોભાયાત્રા નીકળી..
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા જૂનાગામતળ માં આવેલ શ્રી રામચંદ્ર ભગવાનના મંદિરેથી વર્ષોથી ઠાકોરજીની શોભાયાત્રા નીકળે છે.વર્ષોની પરંપરા મુજબ ચાલુ વર્ષે આજ રોજ ભાદરવાસુદ-૧૧ ને બુધવાર તા.૦૩/૦૯/૨૦૨૫ના રોજસવારે ૯.૧૫ કલાકે રામજી મંદિરે થી જલ-ઝીલણી એકાદશીએ ઠાકોર ભગવાનની વિશાળ સંખ્યામાં શોભાયાત્રા નીકળેલ.જે નિજ મંદિરેથી નીકળી,મેઈન બજાર થઈ દરબારગઢ ખાતે પહોંચતા સ્ટેટ માજી રાજવી પરિવાર ચંદ્રસિંહજી વી.વાઘેલા, હેતકરણસિંહ (લાલભા) વાઘેલા, નગર પાલીકા પૂર્વપ્રમૂખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, પ્રહલાદસિંહ વાઘેલા (દેવુભા), યશપાલસિંહ વાઘેલા, સિદ્ધરાજસિંહ વાઘેલા, રવિપ્રતાપસિંહ વાઘેલા, ક્રિષ્ણપાલસિંહ વાઘેલા, બ્રીજરાજસિંહ વાઘેલા સહિત સ્ટેટમાજી રાજવી પરિવાર દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરેલ દરબારગઢમાં વિસામો કરેલ. માજીરાજવી પરિવારે આરતી ઉતારી પ્રસાદ પીરસેલ ત્યાંથી શોભાયાત્રા તેરવાડિયાવાસ,જૈન દાદાવાડી,હાઈસ્કૂલ રોડ,માર્કેટ ગરનાળા,હાઈવે સ્થિત બહુચર માતાજી મંદિર,તાણા રોડ થઈ ઠક્કર બ્રિજેશકુમાર સુરેશભાઈ ગિરિરાજ-૨,ઠક્કર ટેચંદભાઈ હરજીવનભાઈ શાંતિનગર સોસાયટી,ઠક્કર ફરશુરામભાઈ મણિલાલભાઈ ઠક્કર સંદીપકુમાર રમેશભાઈ સાકરીયા વાળા અને ઠક્કર જનકકુમાર કિર્તીલાલ ગીરીરાજ-૨ ખાતે ઠાકોરજીની પધરામણી કરી આરતી પુજન કરી જામપૂર રોડ, ટોટાણા ગરનાળા,શ્રી ઝાઝાવડા મહાદેવ મંદિર,સદુભાપાટી,પટેલ વાસ,રાવળવાસ,પ્રજાપતિ વાસ, જૂનાગંજ બજાર,જૂના ગામતળ માં બિરાજેલ રાજ-રાજેશ્વરી શ્રી બહુચર માતાજી મંદિર થઈ નિજ મંદિરે પહોંચેલ ભગવાનઠાકોરજી ની મહાઆરતી ઉતારેલ.નિવૃત શિક્ષક ફરશુરામભાઈ જોષી,શ્રી રામજી મંદિરના પૂજારી દિલીપભારથી ગોસ્વામી મસાલીવાળા,નગર પાલિકા પ્રમુખપતિ નિરંજનભાઈ સોની, વહેપારી અગ્રણી કિરીટભાઈ અખાણી,ફરસુભાઈ ઠક્કર,માઈ મંડળના રાજુભાઈ સોની, અલ્પેશભાઈ પ્રજાપતિ, જેન્તીભાઈ ઠક્કર,હરિભાઈ સોની,દિનેશભાઈ સોની, રમેશભાઈ દરજી (આર. કે.), મેહુલભાઈ ઠક્કર, પ્રવીણભાઈ ઠક્કર, ભુપેન્દ્રસિંહ ડી. પરમાર, સહિત વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦







